Indian Food Cause Cancer: શું તમે વિચારી શકો છો કે તમે દરરોજ જે સ્વાદિષ્ટ ભોજનની મજા માણો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક હોઇ શકે છે? જી હાં યૂરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (EFSA) એ એક ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2020 થી એપ્રિલ 2024 વચ્ચે ભારતથી આયાત કરવામાં આવેલા 527 ફૂડ પ્રોડક્ટમાં કેન્સર પેદા કરનાર કેમિકલ ઇથિલીન ઓક્સાઇડ (Ethylene Oxide) મળી આવ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Muhurt: આવતીકાલે સૂર્ય જશે ભરણી નક્ષણમાં આ અઠવાડિયે ગુરૂનું રાશિ પરિવર્તન
Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકી


આ રિપોર્ટ રેપિડ એલર્ટ સિસ્ટમ ફોર ફૂડ એન્ડ ફીડ  (RASFF) નાન ડેટાનો હવાલો આપે છે. રિપોર્ટ અનુસાર આ 527 પ્રોડક્ટસમાંથી 313 ડ્રાયફ્રૂડ્સ અને તેલીબિયાં, 60 મસાલા અને જડીબુટ્ટીઓ, 48 ડાયરી ફૂડ અને 34 અન્ય ફૂડ પ્રોડક્ટનો સમાવેશ થાય છે.


ઇથિલીન ઓક્સાઇડ શું છે? 
ઇથિલીન ઓક્સાઇડ એક રંગહીન ગેસ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કીટાણુઓને મારવા માટે કરવામાં આવે છે. જોકે આ એક જાણીતું કાર્સિનોજન (cancer-causing agent) છે અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે. યૂરોપીય સંઘમાં ઇથિલીન ઓક્સાઇડ માટે ફૂડમાં એક કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. EFSA ના અનુસાર આ કેમિકલની હાજરીને 'સેફ્ટી લેવલ' ના રૂપમાં સ્થાપિત કરી શકાય છે.  


Tata Punch ની કટ્ટર 'દુશ્મન' આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથી
માઇલેજમાં મસ્ત છે આ 5 સ્કૂટર, આખું ગામ ફરશો તો ખૂટશે નહી પેટ્રોલ, જાણો કિંમત


ભારતીય ફૂડ પ્રોડક્ટમાં ઇથિલીન ઓક્સાઇડૅ મળવાના કારણ
આ સ્પષ્ટ નથી કે ભારતીય ફૂડ પ્રોડક્ટમાં ઇથિલીન ઓક્સાઇડની ઉપસ્થિતિનું કારણ શું છે. જોકે કેટલાક સંભવિત કારણોમાં સામેલ હોઇ શકે છે. ફૂડ સ્ટોરેજ અને પરિવહન દરમિયાન ફૂગ અને બેક્ટેરિયાને રોકવા માટે તેનો ઉપયોગ. ફૂડ પ્રોસેસિંગ દરમિયાન કીટ નિયંત્રણ માટે તેનો દુરૂપયોગ. 


9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, ટપોટપ થઇ રહી છે બુક
2 BHK ફ્લેટમાં Centralized AC માટે કેટલા ખર્ચવા પડશે રૂપિયા? અહીં મળશે દરેક જાણકારી


પગલાં ભરવામાં આવ્યા
રિપોર્ટ અનુસાર,  EFSA અધિકારીઓએ સરહદ પર 87 દૂષિત માલસામાન અટકાવ્યા, જ્યારે અન્યને બજારમાંથી દૂર કરવામાં આવ્યા. જો કે, રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે ભારત સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે શું પગલાં લીધાં છે.


કેરી ખાતા હો તો આ નુકસાન પણ જાણી લેજો, જાણો કોણે કેરી ના ખાવી જોઈએ
529 કરોડની આ મહેલ જેવી હોટલમાં લગ્ન કરશે અનંત-રાધિકા, 49 લક્ઝરી રૂમ, 3 રેસ્ટોરેન્ટ


ચિંતાનો વિષય
આ રિપોર્ટ ફૂડ એક્સપોર્ટ માટે એક મોટો ઝટકો છે અને તેનાથી વૈશ્વિક બજારમાં ભારતની છબિ ખરાબ થઇ શકે છે. સાથે જ આ ભારતીય ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ ચિંતાનો વિષય છે. 


લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશ
પીળા કેળા તો ખૂબ ખાધા લાલ કેળા પણ છે સ્વાસ્થ્યનો ખજાનો, કિડની-કેન્સર માટે કારગર