નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણ પુલવામાના રાજપોરામાં થઈ. સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી. અથડામણમાં 4 આતંકીઓ ઠાર કરાયા છે. વિસ્તારમાં અનેક આતંકીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ આતંકીઓની શોધમાં સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફાયરિંગ પણ થયું. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહો મળી આવ્યાં છે. બધા આતંકીઓ જૈશ એ મોહમ્મદના હતાં. સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં હથિયારો અને ગોળા બારૂદ પણ જપ્ત કર્યા છે. સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. 


અત્રે જણાવવાનું કે શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરા વિસ્તારમાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ અવંતીપુરાના બાંદેરપુરા-રિંજીપુરા વિસ્તારમાં આતંકીઓની હાજરીની બાતમી મળ્યા બાદ શુક્રવારે સવારે વિસ્તારની ઘેરાબંધી કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું હતું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...