નવી દિલ્હી: મહારાષ્ટ્ર વક્ફ બોર્ડ લેન્ડ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી. ઈડીએ આજે પુનાના 7 ઠેકાણા પર રેડ મારી. આ મામલો વક્ફ બોર્ડ સંબંધિત જમીનના ગેરકાયદેસર વેચાણ સંલગ્ન છે. ખાસ વાત એ છે કે વક્ફ બોર્ડ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકના મંત્રાલય હેઠળ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈડીની કાર્યવાહી એવા સમયે થઈ કે જ્યારે એનસીપી નેતા અને કેબિનેટ મંત્રી નવાબ મલિક ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને એનસીબી તથા તપાસ અધિકારી સમીર વાનખેડે પર સતત નિશાન સાધી રહ્યા છે. હાલમાં જ નવાબ મલિકે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 


NCP નેતા નવાબ મલિક ગુજરાત વિશે આ શું બોલી ગયા? ડ્રગ્સ મુદ્દે ઉઠાવ્યા ગંભીર સવાલ


ગુજરાતને લઈને પણ કર્યા સવાલ
દ્વારકામાંથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે પણ હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. NCP નેતા નવાબ મલિકે ગંભીર આક્ષેપ કરી ગુજરાતીઓનું અપમાન કર્યું છે. નવાબ મલિકે કહ્યું, ગુજરાતમાં ડ્રગ્સનો મોટાપાયે વેપાર ચાલે છે. મુંદ્રા બાદ દ્વારકામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે મંત્રી કિરીટસિંહ રાણા ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યો છે..


Corona Update: તહેવારોમાં બેદરકારી ભારે પડી! દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, સાચવો નહીં તો....


તેમણે કહ્યું કે ગુજરાતમાં જે રીતે મોટા પાયે ડ્રગ્સ મળ્યું છે તે જોઈને લાગે છે કે ત્યાં ડિસ્ટ્રીબ્યુશનનું રેકેટ ચાલે છે. અમારી માંગણી છે કે DG, NCB અને NIA તપાસ કરી આની પાછળ કોણ છે તેની તપાસ કરે. ગુજરાત ડ્રગનું હબ બની ગયુ છે તેવું સાબિત થઈ રહ્યું છે. નવાબ મલિકે વધુમાં કહ્યું કે જો ફડણવીસે તેમના માટે કઈ કહ્યું છે અને પાછું ન લીધુ તો તેઓ તેમના પર માનહાનિનો કેસ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube