જયપુરઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય બન્યા છે. રવિવારે સાંજે ચૂંટણી પ્રક્રિયા પૂરી થયાપછી મનમોહન સિંહને કોંગ્રેસની ટિકિટ પર રાજસ્થાનના સભ્ય તરીકે ચૂંટાયેલા જાહેર કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનમોહન સિંહને 19 ઓગસ્ટ એટલે કે સોમવારના રોજ જયપુરમાં રાજ્યસભાના સભ્યનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય મદનલાલ સૈનીના આકસ્મિક નિધનના કારણે આ સીટ ખાલી થઈ હતી. 


સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપેલા ભાષણની શત્રુધ્ન સિન્હાએ કરી કંઈક આવી પ્રશંસા...


ઉલ્લેખનીય છે કે, મનમોહન સિંહ નિર્વિરોધ ચૂંટાયા છે. રાજસ્થાનમાં ભાજપના કે કોઈ પણ અપક્ષ ઉમેદવારે મનમોહન સિંહ સામે ઉમેદવારી નોંધાવી ન હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મંગળવારે રાજ્યસભાના સભ્યપદ માટે પોતાનું ફોર્મ ભર્યું હતું. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....