નવી દિલ્હી: ભારતે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક ચૂંટાયેલી સીટને સુરક્ષિત કરવા માટે પોતાના અભિયાનની શરૂઆત કરતાં કહ્યું કે તે દુનિયામાં જૂની અને નવી ખામીઓને દૂર કરવા માટે સમાવેશી સમાધાનની ઓફર કરી એક રચનાત્મક વૈશ્વિક ભૂમિકા ભજવી શકે છે. વિદેશમંત્રી એસ જયશંકરએ કહ્યું કે ભારત જવાબદાર અને સમાવેશ સમાધાનની શોધ કરશે. તેમણે કહ્યું કે આ સાથે જ આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પ્રભાવી પ્રતિક્રિયા માટે યૂએનએસસીમાં શાંતિ અને સુરક્ષા માટે એક વ્યાપક દ્વષ્ટિકોણ પણ રાખવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચૂંટણી 17 જૂનના રોજ નક્કી કરવામાં આવી છે. એશિયા-પ્રશાંત ગ્રુપના એકલ સમર્થનવાળા ઉમેદવારના રૂપમાં ભારતની ઉમેદવારી સફળ થવાની સંભાવના છે. એકવાર ચૂંટાયા બાદ આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનો આઠમો કાર્યકાળ હશે. આગામી બે વર્ષનો કાર્યકાળ જાન્યુઆરી 2021માં શરૂ થશે. 


યૂએનએએસસીમાં ભારતની વૈશ્વિક પ્રાથમિકતાને રેખાંકિત કરતાં એક બ્રોશર લોન્ચ કરીને જયશંકરે કહ્યું કે ગત વખતે જ્યારે ભારતે યૂએનએસસીમાં એક સીટ પ્રાપ્ત કરી હતી, ચાર અલગ-અલગ પડકારોનો સામે આવ્યા છે. 


પહેલો પડકાર તણાવ વધવાના કારણે આંતરાષ્ટ્રીય શાસનની સામાન્ય પ્રક્રિયા વધુ દબાણ વેઠી રહી છે. બીજો પડકાર એ છે કે પારંપારિક અને બિન-પારંપારિક સુરક્ષા પડકાર અનિયંત્રિત રૂપથી વધી રહી છે. આતંકવાદ એવી સમસ્યાનું સારું ઉદાહરણ છે. 


ત્રીજો પડકાર એ છે કે વૈશ્વિક સંસ્થાઓને ઓછી આંકવામાં આવે છે, એટલા માટે તે સારા પરિણામ આપવામાં ઓછી સક્ષમ છે. તેમણે કહ્યું કે ચોથો પડકાર કોરોના વાયસ મહામારી અને તેનાથી થનાર આર્થિક નુકસાન દુનિયાની કઠીન પરીક્ષા લેશે, જે પહેલાં થયું નથી. 


જયશંકરે કહ્યું કે ભારતનો દ્વષ્ટિકોણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત પાંચ વાતો-સન્માન, સંવાદ, સહયોગ અને શાંતિથી નિર્દેશિત હશે. જે સાર્વભૌમિક સમૃદ્ધિ માટે સ્થિતિઓ ઉત્પન્ન કરશે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube