નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ (Fake News) આંખના પલકારામાં કરોડો લોકો સુધી પહોંચી જાય છે. આ જ પ્રકારના એક ફેક ન્યૂઝ આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં દાવો કરાયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ને પત્ર લખીને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં તેમના યોગદાન માટે શુભેચ્છા પાઠવી અને અયોધ્યામાં શ્રી રામ મંદિરના જલદી નિર્માણ માટે 50 કરોડ રૂપિયા મોકલવાની વાત કરી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફેક લેટરમાં 7 ઓગસ્ટની તારીખ લખવામાં આવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર પણ નકલી છે. જો કે આ કથિત લેટરને ગંભીરતાથી લઈને પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટીકરણ બહાર પાડવામાં આવ્યું છે અને તેને 'ફેક' ગણાવ્યા છે. પીઆઈબીએએ એક ટ્વિટમાં કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સીએમ યોગી આદિત્યનાથને આવો કોઈ લેટર મોકલવામાં આવ્યો નથી. 


હવે આંદામાનના હજારો પરિવારોને મળશે ડિજિટલ ઈન્ડિયાનો લાભ-PM મોદી


નોંધનીય છે કે આ પ્રકારનો ફેક લેટર કે ફેક ન્યૂઝ ફેલાવીને કેટલાક નકલી સમાચાર પેડલર્સ સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે તથા સાંપ્રદાયિક તણાવ વધારવાના પણ પ્રયત્નો કરે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube