અહેમદનગર: મહારાષ્ટ્રના અહેમદનગરમાં ઓનર કિલિંગનો એક મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યાં અનુસાર ઓનર કિલિંગની આ ઘટના પરનાર તાલુકાના નિઘોઈ ગામમાં એક મેના રોજ ઘટી હતી. અહીં એક પરિવારે કથિત રીતે પોતાની પુત્રી અને તેના પતિને પેટ્રોલ છાંટીને જીવતી બાળી મૂક્યાં. કહેવાય છે કે આ નવપરણિત કપલે આંતરજાતિય વિવાહ કર્યાં હતાં જેના પર પરિવારને આપત્તિ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: 2014માં PM મોદી બોક્સિંગ રિંગમાં ઉતર્યા, પણ કોચ અડવાણીને જ મુક્કો મારી દીધો'


પોલીસના જણાવ્યાં અનુસાર પીડિતા રુકમણી રણસિંહ અને પતિ મંગેશ રણસિંહને પેટ્રોલ છાંટીને યુવતીના પિતા અને બે કાકાઓએ બાળી મૂક્યો હતો. આ ઘટનામાં પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતાં. યુવતી 70 ટકા બળી ગઈ હતી જેનું રવિવારે રાતે મોત થયું. જ્યારે પતિની હાલત ગંભીર છે. પોલીસે ઘટનાના આરોપી રૂક્મણીના બે કાકા સુરેન્દ્ર અને ઘનશ્યામની ધરપકડ કરી લીધી છે. જ્યારે મૃતકના પિતા રામ ભારતીય ફરાર છે અને તેની તલાશ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે ઘટનાની તપાસ થઈ રહી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...