નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા  (Farm Bill 2020)ને લઈને કેન્દ્ર સરકાર અને કિસાનો વચ્ચે દિલ્હીમાં વાતચીત ચાલી રહી છે. જાણકારી પ્રમાણે કિસાનોએ 10 પેજનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સરકાર અને કિસાનો વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. બેઠકમાં 40 સંગઠનોના કિસાન નેતા સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોનું કહેવું છે કે વાતચીતમાં કિસાનોનું વલણ આક્રમક છે. કિસાન પોતાની માગ પર અડિગ છે. કિસાનોએ સરકારે આપેલા ભોજન લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો, અને તે પોતાનું ભોજન સાથે લઈને ગયા હતા. કિસાનોનું કહેવું છે કે તે સરકાર પાસે પોતાની માગને મનાવીને રહેશે. 


દિલ્હી બોર્ડર પર છે કિસાન
મહત્વનું છે કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોના પ્રદર્શનનો આજે આઠમો દિવસ છે. સિંધુ, ટિકરી અને દિલ્હી-યૂપી સરહદ પર હજારોની સંખ્યામાં કિસાનો હાજર છે. વિરોધની લડાઈ હવે એવોર્ડ અને સન્માન વાપસી સુધી પહોંચી ગઈ છે. 


કૃષિ કાયદાને રદ કરવાથી કઈ પણ ઓછું સ્વીકારવું એ વિશ્વાસઘાત હશે-રાહુલ ગાંધી


કેપ્ટને માગ્યો પીએમને મળવાનો સમય
તો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માગ્યો છે. આ પહેલા તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિંદર સિંહે ગૃહમંત્રી સાથે થયેલી મુલાકાત પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, હું સમસ્યાનું સમાધાન ન કરી શકું. કિસાન આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. કિસાન આંદોલનની પંજાબની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. કિસાન આંદોલનનું જલદી સમાધાન કાઢવુ જોઈએ. મેં મારી વાત ગૃહમંત્રી સામે રાખી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube