નવી દિલ્હી: કેન્દ્ર સરકાર (Central Government) અને ખેડૂત નેતાઓ (Farmers) વચ્ચે આજે થયેલી 8મા તબક્કાની વાતચીત કંઇક અલગ હતી. કારણ કે શાંતિથી આંદોલન કરવાની વાત કરનાર ખેડૂતો બેઠકમાં નારાજ થઇ ગયા અને પછી ચર્ચા કરવા લાગ્યા. આ દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે ત્રણેય વચ્ચે મીટિંગમાં જ હોલમાંથી બહાર નિકળી ગયા.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Incredible India: પૈસા ઉપાડવા બેંકમાં પહોંચી લાશ, કર્મચારીઓના ઉડી ગયા હોશ


ખેડૂતોએ 'ઘર' વાપસી પર કહી આ વાત
ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ ખેડૂતે સરકારને બે ટૂક કહ્યું કે તેમની 'ઘર વાપસી' ત્યારે થશે જ્યારે આ કાયદાને પરત લેશે. પરંતુ સરકારે આમ કરવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી અને કાયદામાં ફેરફાર કરવાની વાત કહી. ત્યારબાદ બેઠકમાં ચર્ચાનો દૌર શરૂ થઇ ગયો. આ દરમિયાન સરકારે દાવો કર્યો કે ઘણા રાજ્યોમાં ખેડૂતોએ આ કાયદાને સારો ગણતા તેનો સ્વિકાર કરી લીધો છે. તમારે પણ આખા દેશના હિતને સમજવું જોઇએ. 
લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર


15 જાન્યુઆરીના રોજ આયોજિત થશે 9મા તબક્કાની વાર્તા
તમને જણાવી દઇએ કે આ પહેલાં 4 જાન્યુઆરીના રોજ થયેલી વાર્તાનું પણ કોઇ પરિણામ સામે આવ્યું ન હતું. કારણ કે ખેડૂત સંગઠન ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની પોતાની માંગ પર અડગ રહ્યા. તો બીજી તરફ 30 ડિસેમ્બરના રોજ યોજાયેલી છઠ્ઠા તબક્કાની વાર્તામાં બે માંગો, પરાલી જવાના અપરાધની શ્રેણીથી બહાર કરવા અને વિજળી પર સબસિડી ચાલુ રાખવાને લઇને સહમતિ બની હતી. આજની બેઠકમાં ચર્ચા બાદ હવે કેન્દ્ર સરકારે ખેડૂત નેતાઓને 15 જાન્યુઆરીના દિવસે ફરીથી બેઠક બોલાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube