નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Farms Laws)ના વિરોધમાં 'કિસાન બચાવો યાત્રા' દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા પંજાબના મોગામાં ટ્રેક્ટર રેલી (Tractor Rally) કરવાને લઈને નાગરિક વિમાન મંત્રી હરદીપ સિંહ પુરી (Civil Aviation Minister Hardeep Singh Puri)એ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું છે. હરદીપ સિંહ પુરીએ રાહુલ ગાંધીની ટ્રેક્ટર યાત્રા દરમિયાન લેવાયેલી એક તસવીર શેર કરતા કહ્યું કે, કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રદર્શન માત્ર એક પોલિટિકલ ટૂરિઝમ છે. તેમણે કહ્યું કે, ગાદીના સોફા પર બેસીને કોઈ પ્રદર્શન કરવામાં આવે નહીં, તેનાથી કોંગ્રેસનો ઇરાદો માત્ર કિસાનોને ફાયદાકારક સાબિત થનારા કૃષિ કાયદાઓ પ્રત્યે ગેરમાર્ગે દોરવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં રાહુલ ગાંધીએ કૃષિ કાયદાના વિરોધમાં ત્રણ દિવસની ટ્રેક્ટર રેલીની શરૂઆત રવિવારે મોગાથી કરી હતી. નાગરિક ઉડ્ડયનમંત્રી પુરીએ ટ્વીટ કરીને કહ્યુ, ટ્રેક્ટર પર રાખેલ ગાદીનો સોફો વિરોધ નથી. તે 'વિરોધનું પર્યટન' છે. ભાજપના તે વલણને દર્શાવે છે કે કોંગ્રેસનો વિરોધ માત્ર કિસાનોને ભ્રમિત કરવા માટે છે. પરંતુ કિસાન એટલા ભણેલા-ગણેલા અને બુદ્ધિમાન છે અને બધુ જોવે છે. કોંગ્રેસનો આ વિરોધ માત્ર રાજકીય અને અંગત સ્વાર્થથી પ્રેરિત છે. 


'ષડયંત્ર હેઠળ ખરાબ કરવામાં આવી રહ્યો છે યૂપીનો માહોલ, 13 FIR દાખલ': ADG

નરેન્દ્ર મોદી કિસાનોને મારી રહ્યા છે, તેમનું ગળુ કાપી રહ્યા છે
કૃષિ કાયદાના વિરોધમાં કિસાન બચાવો યાત્રાના બીજા દિવસે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પંજાબના સંગરૂરમાં રેલી કરી. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર કૃષિ કાયદાને લઈને નિશાન સાધ્યુ હતું. રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદી કિસાનોને મારી રહ્યા છે, તેમનું ગળુ કાપી રહ્યાં છે. રાહુલે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ, બજારની સિસ્ટમ છે, તે સંપૂર્ણ ખરીદીની સિસ્ટમ છે, પીડીએસની સિસ્ટમ છે. આ સિસ્ટમમાં ખામી છે, હું પણ જાણુ છું, કોંગ્રેસ પણ માને છે. આ સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે. વધુ બજાર બનાવવાની જરૂર છે. એમએસપી પર ગેરંટી આપવાની જરૂર છે. કિસાનોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની જરૂર છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube