શ્રીનગરઃ નેશનલ કોન્ફરન્સના વડા અને ત્રણ વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા ફારૂક અબ્દુલ્લાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જર્મીના પૂર્વ સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે સરખામણી કરી નાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીનગરની નજીક ખાનયારમાં એક ચૂંટણી રેલીને સંબોધતાં નેશનલ કોન્ફરન્સના વડાએ જણાવ્યું કે, "જર્મીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ પીએમ મોદી જે રીતે આજે બોલી રહ્યા છે એવી જ બોલી બોલતો હતો. તે પણ 'સબકા સાથ, સબકા વિકાસ'ના નારા લગાવતો હતો."


વડા પ્રધાન મોદી પર પ્રહાર કરતા ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, "આપણે સૌ જાણીએ છીએ કે પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોનાં મોત થયા હતા. પરંતુ આપણા વડાપ્રદાન માત્ર બાલાકોટ, બાલાકોટ, બાલાકોટનું જ રટણ કરી રહ્યા છે."


લોકસભા ચૂંટણીમાં હવે ડિગ્રીનો જંગ, જેટલીએ રાહુલ ગાંધીની ડિગ્રી સામે ઉઠાવ્યા સવાલ 


નેશનલ કોન્ફરન્સના વડાએ મોદી પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે, જે રીતે હિટલરે તમામ મીડિયા પ્લેટફોર્મ પર લોકો સમક્ષ સત્ય રજૂ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, તેવી જ રીતે વડાપ્રધાન મોદી પણ હિટરલ જેવી બોલી બોલી રહ્યા છે.


વરૂણ ગાંધીની મુસલમાનોને સલાહ, 'વોટ આપો કે ન આપો, ચૂંટણી પછી કામ માટે જરૂર આવજો'


બાલાકોટ હુમલા અંગે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને આડેહાથ લેતાં અબ્દુલ્લાએ કહ્યું કે, "પીએમ મોદી પાકિસ્તાન સાથેની 'નકલી' લડાઈના ગુણગાન ગાઈને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. તેઓ બાલાકોટ હુમલાનો ઢોલ વગાડી-વગાડીને પ્રચાર કરી રહ્યા છે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....