નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યપાલ મદનલાલ ખુરાનાનું શનિવારે મોડી રાતે દિલ્હી ખાતે નિધન થયું. 15 ઓક્ટોબર 1936ના રોજ પાકિસ્તાનના ફેસલાબાદમાં જન્મેલા મદનલાલ ખુરાના 82 વર્ષના હતાં. લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર હતાં. દિલ્હી ભાજપમાં તેમની ગણતરી કદાવર નેતાઓમાં થતી હતી. તેઓ 1993થી લઈને 1996 સુધી દિલ્હીના મુખ્યમંત્રી હતાં. વર્ષ 2004માં તેઓ રાજસ્થાનના રાજ્યપાલ પણ રહ્યાં. જો કે વાજપેયી સરકારના ગયા બાદ તેમણે પદેથી રાજીનામું આપી દીધુ હતું. 


ખુરાના 2 વર્ષ 96 દિવસ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં. તેમણે પોતાનું શિક્ષણ એવિંગ ક્રિશ્ચન કોલેજ ઉપરાંત યુનિવર્સિટી ઓફ અલાહાબાદ અને કિરોડીમલ કોલેજથી પૂરું કર્યું હતું. અલાહાબાદ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનમાં ખુરાના જનરલ સેક્રેટરી રહ્યાં. અહીંથી તેમના રાજકારણની કારકિર્દી શરૂ થઈ હતી. 1960માં તેઓ સંઘના અનુષાંગિક સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મુખ્ય સચિવ બન્યાં. રાજકારણમાં એન્ટ્રી પહેલા તેઓ ટીચર રહ્યાં. તેઓ 1965થી 67 સુધી જનસંઘના જનરલ સેક્રેટરી રહ્યાં. 


દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...