નવી દિલ્હીઃ ગોવાના પૂર્વ રાજ્યપાલ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર મૃદુલા સિન્હા (77)નું બુધવારે નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે, મૃદુલા સિન્હા જીને જનતાની સેવા માટે તેમના પ્રયાસોને કારણે યાદ કરવામાં આવશે. તેઓ એક કુશલ લેખિકા પણ હતા, જેમણે સાહિત્યની સાથે-સાથે સંસ્કૃતિની દુનિયામાં વ્યાપાક યોગદાન આપ્યું. તેમના નિધનથી દુખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. 


ભારત-ચીન તણાવઃ  LAC પર ઠંડીનો સામનો કરવા ભારતીય સેનાએ કરી ખાસ તૈયારી

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1980મા ભાજપની રચના બાદ જ્યારે મહિલા મોર્ચાની સ્થાપના થઈ તો તેમને સહ સંયોજક બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેઓ બે વખત ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા. લેખન અને સાહિત્યિક ક્ષેત્રમાં પણ મૃદુલા સિન્હાની અલગ ઓળખ હતી. તેમના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. બાદમાં મોદી સરકારે તેમને ગોવાના રાજ્યપાલ બનાવ્યા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube