નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન બી લોકુરે બુધવારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટમાં આવવા અને મુખ્ય ન્યાયાધીશ (સીબીઆઇ) રંજન ગોગઇથી મળવામાં કંઇ ખોટુ નથી. તેમણે કહ્યું કે ન્યાયાધીશોને રાજકીય હદથી દુર રહેવું જોઇએ પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ એકાંતવાસમાં રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વઘુમાં વાંચો: CBI પ્રમુખનું નામ આજે થઇ શકે છે જાહેર, PMની અધ્યક્ષતામાં યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક


પૂર્વ ન્યાયાધીશે કહ્યું કે, મને નથી ખબર કે તેમને દુર રહેવાનો કયો અર્થ છે? શું તમે એમ કહી રહ્યાં છો કે મારે પ્રધાનમંત્રીને ચહેરો દેખાડવો જોઇએ નહીં? પ્રધાનમંત્રીને સાર્વજનિક કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં કોઇ ખોટુ નથી. સુપ્રી કોર્ટના દરવાજા ખોલવા સંપૂર્ણ રીતે યોગ્ય હતું.


વઘુમાં વાંચો: ગુરૂગ્રામમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાહી, 8 લોકો દટાયાની આશંકા


તેમણે સીજાઆઇ રંજન ગોગોઇને પ્રધાનમંત્રીએ કોર્ટ રૂમ જોવાની ઇચ્છા પર સહમત થવા પર પુછ્યું તો તેમણે કહ્યું કે, તમે આ વાતને ઉંડાણ પૂર્વક વિચારી વધારે ખેચીં રહ્યાં છો. ઉલ્લેખનીય છે કે મુખ્ય ન્યાયાધિશ ગોગોઇએ 25 નવેમ્બરે બેમસ્ટેક દેશ (બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, નેપાળ અને થાઇલેન્ડ)ના ન્યાયાધીશો માટે આયોજિત રાત્રી ભોજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા હતા.


વઘુમાં વાંચો: દિલ્હીમાં અકસ્માત બાદ 2 કારમાં લાગી આગ, 3 લોકોનું આગમાં બળી જવાથી મોત


સીજેઆઇના રૂખ પર લોકૂરે ન આપ્યો જવાબ
જસ્ટિસ એમબી લોકુરે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ દ્વારા સીબીઆઇ મામલે અને રાજકીય રીતથી સંવેદનશીલ અયોધ્યા જમીન માલિકના હક વિવાદ મામલે સુનાવણી વગેરેના સવાલો પણ કોઇ જવાબ આપ્યો ન હતો. તત્કાલીન પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રાની સામે બળવાખોર વર્તન દેખાળતા 12 જાન્યુઆરી, 2018ના પ્રેસ કોન્ફેરેન્સ કરનરા સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોમાં સામેલ લોકુર ‘ધ લીફલેટ’ની તરફથી ‘ભારતીય ન્યાયપાલિકાની સ્થિતિ’ વિષય પર આધારિત સત્ર પર બોલી રહ્યાં હતા.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...