નવી દિલ્હી: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આજે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. આ અગાઉ બુધવારે મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિન્દર સિંહ અને અમિત શાહની આ મુલાકાત લગભગ 50 મિનિટ ચાલી હતી. અમરિન્દર સિંહ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. 


Punjab ના લોકોને કેજરીવાલે આપ્યા 6 મોટા વચન, ફ્રી વીજળી બાદ હવે આ તમામ વસ્તુ મળશે મફત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈ કાલે કેપ્ટનના નીકટના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રીએ ગૃહમંત્રી સાથે પંજાબની આંતરિક સુરક્ષાની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરી છે. આવામાં ડોભાલ સાથે મુલાકાત પણ તેને જોડવામાં આવી રહી છે. 


Video: પંજાબમાં કોંગ્રેસ સાફ, શું હવે ભાજપ તરફથી ખેલશે કેપ્ટન, શું છે BJP નો પ્લાન?


શાહને મળ્યા બાદ અમરિન્દર સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યો. કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન અંગે ચર્ચા કરી અને તેમને આગ્રહ કર્યો કે કાયદાને રદ કરી, MSP ની ગેરંટી  આપે તથા પંજાબમાં પાક વિવિધિકરણને સહયોગ આપીને આ સંકટનું તત્કાળ સમાધાન કરવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube