નવી દિલ્હી: પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) આજે (28 સપ્ટેમ્બર) દિલ્હી પહોંચી રહ્યા છે. અમરિંદર સિંહે પહેલાં તેમના વફાદારા અને કોંગ્રેસી નેતા (Congress Leaders) દિલ્હીમાં મળી ચૂક્યા છે. તેથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજકીય (Punjab Politics) ઘટનાક્રમમાં કંઇક મોટા ફેરફાર થઇ શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, દેશના ખેડૂતોને બની જશે માલામાલ


અમિત શાહ-જેપી નડ્ડા સાથે કરી શકે છે મુલાકાત
કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) મુલાકાત કરી શકે છે. તેને લઇને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે આ મહિને નવજોત સિંહ સિદ્ધૂ સાથે ચાલી રહેલા વિવાદ બાદ અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે ત્યારબાદ ચરણજીત સિંહને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

Punjab: ચન્ની સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી, સુખજિંદર સિંહ રંઘાવા બન્યા ગૃહ મંત્રી


અલગ પાર્ટી બનાવવાનું પણ લગાવવામાં આવે અનુમાન
સીએમ પદેથી રાજીનામા બાદ અમરિંદર સિંહ (Amarinder Singh) એ કહ્યું હતું કે અપમાનિત અનુભવું છું, ત્યારબાદ આ નિર્ણય લીધો. આ સાથે જ તેમણે નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) નો ખુલીને વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) ને સીએમ બનવા દેશે નહી. અમરિંદર સિંહે કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) વિરૂદ્ધ અનુમાન લગાવવામાં આવ્યું હતું તે પંજાબમાં પોતાની અલગ પાર્ટી પણ બનાવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube