નવી દિલ્હી : લોકસભા ચૂંટણીનો લગભગ અડધો હિસ્સો પુર્ણ થઇ ચુક્યો છે અને હવે સોમવારે ચોથા તબક્કામાં મતદાનનો વારો છે. આ રાઉન્ડમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ, સુભાષ ભામરે, એસ.એસ અહલુવાલિયા અને બાબુલ સુપ્રિયો તથા પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ એખ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ અને અધીર રંજન ચૌધરી સહિત 961 ઉમેદવારની કિસ્મતમાં ચૂંટણી કિસ્મત ઇવીએમમાં કેદ થશે. આશરે 12.80 કરોડ મતદાતા રાજકીય સમરમાં ઉતરેલા દિગ્ગજોની કિસ્મતનો નિર્ણય લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMએ સની સાથે શેર કરી તસ્વીર, કહ્યું હિંદુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે...

ઓરિસ્સામાં ભાજપનાં બૈજયંત પાંડા, મુંબઇ નોર્થ સીટથી કોંગ્રેસ કેંડિડેટ ઉર્મિલા માતોડકર, સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ, તૃણમુલ કોંગ્રેસની શતાબ્દી રૉય અને કોંગ્રેસનાં મિલિંદ દેવડા સહિત અનેક ઉમેદવારો પણ ચોથા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા. પ્રખ્યાત ચહેરામાં તેમનો સમાવેશ થાય છે. 
Reliance Jioએ પ્લાન્સમાં કર્યો ધરખમ ફેરફાર, DATAમાં ધરખમ વધારો કરાયો

યુપીમાં ડિમ્પલ, સાક્ષીમહારાજ, સલમાન ખુર્શીદનો નિર્ણય
ઉત્તરપ્રદેશની 13 સીટો પર સોમવારે મતદાન થવાનું છે. રાજ્યનાં તમામ 7 તબક્કામાં મતદાન થવાનું છે. આ રાઉન્ડમાં શાહજહાપુર, લખીમપુર ખીરી, હરદોઇ, મિસરિખ, ઉન્નાવ, ફર્રુખાબાદ, ઇટાવા, કન્નોજ, કાનપુર, અકબરપુર, જાલૌન, ઝાંસી અને હમીરપુર સીટો પર મતદાન થવાનું છે. આ બધામાં ચર્ચિ સીટ કન્નોજ છે. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ ઉભા છે.  આ ઉપરાંત ઉન્નાવ સીટ પરથી ભાજપના ફાયરબ્રાંડ નેતા સાક્ષી મહારાજ લડી રહ્યા છે. ફર્રુખાબાદથી સલમાન ખુર્શીદ લડી રહ્યા છે. કાનપુરથી શ્રીપ્રકાશ જયસ્વાલ મેદાને છે. 


ભાજપે ન આપી મનોહર પર્રિકરનાં પુત્રને ટિકિટ, પેટા ચૂંટણીનાં 3 ઉમેદવાર જાહેર


રાજસ્થાનમાં મુખ્યમંત્રીના પુત્રનો નિર્ણય
રાજસ્થાનમાં સોમવારે મુખ્યમંત્રી અશોક ગહલોતનાં પુત્ર વૈભવ ગહલોત, જયપુરનાં પૂર્વ રાજ પરિવારનાં સભ્ય દીયા કુમારી અને બે કેન્દ્રીય મંત્રી સહિત 115 ઉમેદવારનાં ભાગ્યનો નિર્ણય થવાનો છે. જોધપુર સીટ પરથી વૈભવ ગહલોતની સામે  કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત છે. રાજસ્થાનની તમામ 25 લોકસભા સીટો પર 2014માં ભાજપે જીત પ્રાપ્ત કરી હતી. જો કે હવે કોંગ્રેસ હવે પરત ફરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. 


વડાપ્રધાન મોદી જન્મજાત સવર્ણ પરંતુ કાગળ પર જ પછાત છે : તેજસ્વી યાદવ

બિહારમાં ગિરિરાજ, કનૈયા, નિત્યાનંદ રાયનું ભાગ્ય દાંવ પર
રાજનીતિક વિશ્લેષકો સહિત તમામ લોકોની નજર બેગુસરાય સીટ પર છે. જ્યાં ભાજપનાં ફાયરબ્રાંડ નેતા ગિરિરાજસિંહની સામે સીપીઆઇથી વિદ્યાર્થી નેતા રહેલા કનૈયા કુમાર ઉતર્યો છે. આ સીટ પર હાઇપ્રોફાઇલ મુકાબલો જોવા મળશે. જાવેબ અખ્તર, શબારા આઝમી, સ્વરા ભાસ્કર, પ્રકાશ રાજ સહિત તમામ સેલિબ્રિટીએ કનૈયાનાં સમર્થનમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. 


VIDEO: આગ બુઝાવવા સ્મૃતીએ હેંડપંપથી છાંટ્યુ પાણી, ગામને આપી સાંત્વના

છિંદવાડામાં નકુલનાથનાં ભાગ્યનો નિર્ણય થશે.
મધ્યપ્રદેશની વાત કરીએ તો કમલનાથના પુત્ર નકુલનાથ છિંદવાડા સીટથી મેદાને છે. જે હાઇપ્રોફાઇલ મુકાબલો છે. આ રાજ્યમાં ચોથા રાઉન્ડમાં શહડોલ, જબલપુર, સીધી, માંડલા, બાલાઘાટ અને છિંદવાડા સીટ પર ચૂંટણી થવાની છે. છિંદવાડા સીટથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ 40 વર્ષ સુધી સાંસદ રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મિલિંદ દેવડા અને પ્રિયા દત્ત જેવા કોંગ્રેસનાં હાઇપ્રોફાઇલ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય પણ થશે.