Gandhi Jayanti 2021: PM મોદીએ રાજઘાટ પર બાપુને કર્યા નમન, કહ્યું- દરેક પેઢી માટે આદર્શ છે મહાત્મા ગાંધી
રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ વિજયઘાટ જઈને પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
નવી દિલ્હી: આજે 2જી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે દેશના પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત અનેક યોજનાઓનો પણ આજે તેઓ શુભારંભ કરશે. આજે સવારે 11 વાગે પીએમ મોદી ગ્રામ પંચાયતો અને જળ સમિતિઓ સાથે સંવાદ પણ કરશે.
પીએમ મોદીએ રાજઘાટ જઈને બાપુને આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ જઈને બાપુને જન્મ જયંતી પર પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ રાજઘાટ જઈ બાપુને શ્રદ્ધાંજલિ આપી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube