Amritsar Gangwar: પંજાબના અમૃતસર જિલ્લામાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અમૃતસરના સઠિયાલા ગામમાં, ગોપી ઘનશામ પુરિયા જૂથ સાથે જોડાયેલા ગેંગના સભ્યોએ જરનૈલ સિંહ પર ગોળીબાર કર્યો હતો. બદમાશો કારમાં આવ્યા હતા. જરનૈલ સિંહની હત્યા કરીને ચારેય બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, ઘટના સમયે જરનૈલ સિંહ પોતાના ગામમાં પોતાના ઘરે હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 4 માસ્ક પહેરેલા હુમલાખોરો આવે છે અને જરનૈલ સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરે છે. હુમલાખોરોથી બચવા માટે, જરનૈલ સિંહ એક દુકાનમાં પ્રવેશ કરે છે. હુમલાખોરો તેની પાછળ દુકાનમાં  ઘૂસી જાય છે અને જ્યાં સુધી તે મરી ન જાય ત્યાં સુધી ફાયરિંગ કરતા રહે છે. ફાયરિંગ કરતાં હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.


પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શવગૃહમાં રાખ્યો છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.


શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube