નવી દિલ્હી: હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ પણ જીવિત હતા તેવો દાવો ઘટનાસ્થળે હાજર એક બચાવકર્મીના હવાલે મીડિયા રિપોર્ટસમાં કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ Mi-17V5 ના કાટમાળમાંથી કાઢવામાં આવ્યા બાદ તેમણે હિન્દીમાં કેટલાક શબ્દો કહ્યા હતા. આ જાણકારી બચાવદળના એક સભ્યએ આપી. જનરલ રાવત સાથે અન્ય એક વ્યક્તિને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમની ઓળખ બાદમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ તરીકે થઈ. ગ્રુપ કેપ્ટન આ ગોઝારા અકસ્માતમાં બચી ગયેલા એક માત્ર વ્યક્તિ છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહ્યા આ શબ્દો
મીડિયા રિપોર્ટ્સ મુજબ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા વરિષ્ઠ ફાયરમેન અને બચાવકર્મી એનસી મુરલીએ જણાવ્યું કે અમે બે લોકોને જીવતા બચાવ્યા. તેમાંથી એક સીડીએસ રાવત હતા. મુરલીએ જણાવ્યું કે જેવા અમે તેમને બહાર કાઢ્યા કે તેમણે રક્ષાકર્મીઓ સાથે ધીમા સ્વરે વાત કરી અને પોતાનું નામ કહ્યું. હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મોત થયું. મુરલીના જણાવ્યા મુજબ તેઓ તરત અન્ય વ્યક્તિની ઓળખ કરી શક્યા નહતા. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


આ રીતે લઈ જવાયા હોસ્પિટલ
મુરલીએ કહ્યું કે જનરલ રાવતે જણાવ્યું હતું કે 'તેમના શરીરના નીચલા ભાગમાં ગંભીર ઈજા થઈ છે. ત્યારબાદ તેમને ચાદરમાં લપેટીને એમ્બ્યુલન્સમાં લઈ જવાયા.' બચાવ દળને આ વિસ્તારમાં બચાવકાર્ય દરમિયાન અનેક મુસીબતો આવી. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના વાહનના જવા માટે કોઈ રસ્તો નહતો. નદી અને ઘરોના વાસણોમાં પાણી લાવવું પડ઼્યું હતું. 


CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે થયું ક્રેશ?, અકસ્માતની થોડી ક્ષણો પહેલાનો વીડિયો આવ્યો સામે

બુધવારે આખા દેશને ચોધાર આંસુએ રડાવનારી આ દુર્ઘટના ઘટી તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દુર્ઘટનાગ્રસ્ત થયા પહેલા ગાઢ ધુમ્મસમાં આગળ વધી રહેલું ચોપર દેખાઈ રહ્યું છે. આ સાથે જ લોકો વીડિયોમાં શું થયું, ક્રેશ થઈ ગયું? કહેતા પણ સંભળાય છે. વીડિયો અંગે દાવો કરાઈ રહ્યો છે કે આ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટરનો વીડિયો છે. 


Helicopter Crash: એ હેલિકોપ્ટર...કે જેને હરાવવાની તાકાત દુશ્મનમાં પણ નથી, તો પછી ક્રેશ કેવી રીતે થઈ ગયું?


2015માં પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા રાવત
બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષ 2015માં પણ જનરલ બિપિન રાવત આ પ્રકારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તે સમયે તેઓ નાગાલેન્ડમાં પોસ્ટેડ હતા અને તેમનું હેલિકોપ્ટર એક ઓપરેશન દરમિયાન ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરનું નામ ચીતા છે અને તે ખુબ આધુનિક મનાય છે. આ અકસ્માત બાદ અનેક લોકોને લાગ્યું હતું કે જનરલ બિપિન રાવત તેમાં સુરક્ષિત બચી શકશે નહીં. પરંતુ રેસ્ક્યુ ઓપરેશન બાદ એવા સમાચાર આવ્યા કે તેઓ અકસ્માતમાં બચી ગયા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube