ગાજિયાબાદ: ગાજિયાબાદના ઇંદિરાપુરમ વિસ્તાર (Indirapuram)થી સવાર-સવારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે (3 ડિસેમ્બર)ના રોજ સવારે ઇંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવવામાં એક પતિ અને તેની બે પત્નીઓ સામેલ છે. તેમાં પતિ અને એક પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે જ્યારે એક પત્નીને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીજી તરફ ફ્લેટમાં બે બાળકોની લાશ મળી આવી છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NASA એ શોધી કાઢ્યો ચંદ્રયાન-2ના 'વિક્રમ લેન્ડર'નો કાટમાળ, જાહેર કરી તસવીર


પોલીસના જણાવ્યા અનુસાર પહેલી નજરમાં આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. જાણકારોના અનુસાર છલાંગ લગાવતાં પહેલાં પતિ-પત્નીએ ઘરમાં સુતા બે બાળકોનું ગળુ દબાવીને હત્યા કરી દીધી.


સુસાઇડ અને હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસના અનુસાર ત્રણેય લોકોએ છલાંગ લગાવીને છે. જેમાં એક વ્યક્તિ અને તેની બે પત્નીઓનો સમાવેશ થાય છે. પોલીસે કહ્યું કે ઘરમાં બે બાળકોની લાશ મળી આવી છે અને બંનેની હત્યા કરવામાં આવી છે. તેમાં એક 10 અને 11 વર્ષની છોકરી અને છોકરો છે. ઘરની દિવાલ પર એક સુસાઇડ નોટ મળી છે. જેમાં આર્થિક તંગીની વાત લખવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube