બેગુસરાયઃ બિહારની બેગુસરાય લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આચાર સંહિતા ઉલ્લંઘન કેસમાં મંગળવારે બેગુસરાય વ્યવહાર અદાલતના સીજેએમ ટાકુર અમન કુમારની કોર્ટમાં સમર્પણ કર્યું હતું. ત્યાર પછી કોર્ટે ભાજપના નેતાને જામીન આપી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના નિવેદનો અંગે હંમેશાં ચર્ચામાં રહેતા ગિરિરાજ સિંહ પર આરોપ હતો કે તેમણે 24 એપ્રિલના રોજ જીડી કોલેજમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રેલી દરમિયાન 'વંદે માતરમ' અંગે લઘુમતિ સમુદાય અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ અંગે નગર થાનામાં એફઆઈઆર દાખલ થઈ હતી. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....