Gold Treasure: કહેવાય છે કે આજે દુનિયાભરમાં જેટલી રકમ લોકો પાસે હયાત છે તેનાથી અનેક ગણી વધુ રકમ પૃથ્વીના પેટાળમાં છુપાયેલા ખજાના ભંડારોની છે. કદાચ આ વાત સત્ય છે. કારણકે એવા ઘણા ખજાના છે જે લોકો માટે સદાય રોમાંચકારી અને રહસ્યમયી રહ્યા છે. અને ખરેખર એ અત્ંયત મૂલ્યવાન છે. પછી ચાહે તે તુતાનખામેનનો ખજાનો હોય, દરિયાઇ ચાંચિયાનો હોય કે હૈદરાબાદના નિઝામનો, આવા ખજાનાઓ હંમેશા માટે રહસ્ય અને રોમાંચનો વિષય રહ્યાં છે. તેના પર અગણિત સાહસિક કથાઓ લખાઇ ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર નામ બુદ્ધ 'વિહાર'નો અપભ્રંશ થઇને આવ્યું છે એવું મનાય છે. આ ક્ષેત્ર ગંગા તથા તેની સહાયક નદીઓના મેદાનોમાં વસેલું છે. પ્રાચીન કાળના વિશાળ સામ્રાજ્યોનો ગઢ રહેલા આ પ્રદેશ વર્તમાનમાં દેશની અર્થવ્યવસ્થાના સૌથી પછાત યોગદાતાઓમાંથી એક ગણવામાં આવે છે. બિહારની જ એક જગ્યા જેનું નામ સોન ભંડાર ગુફા- જ્યાં છુપાયેલો છે મગધસમ્રાટ બિંબિસારનો અગણિત ખજાનો.


પેનિસમાં દૈવી શક્તિ હોવાનો દાવો કરીને લોકો સામે નગ્ન થઈને આવતો રાજા, 365 હતી રાણીઓ
300 લગ્ન કરનાર આળસુનો પીર નવાબ, જૂતા પહેરાવનાર નોકરની રાહ જોઈ બેસી રહ્યો


અહિં વાત કરવી છે ભારતમાં છુપાયેલા એવા પ્રાચીન ખજાનાના ભંડોળની જેની કિંમત વિશે કહેવાય છે કે એ ખજાનો મળી જાય તો ભારત વિશ્વમાં મહાસત્તા પર આવી શકે તેમ છે એટલું જ નહિ ગ્લોબલ ઇકોનોમીમાં પણ ધડાકાભેર વધારો થાય , વાત છે બિહારના એક નાનકડા નગર રાજગીરમાં આવેલી સોન ભંડાર નામની ગુફા જ્યાં મગધ સમ્રાટ બિંબિસારનો અમૂલ્ય ખજાનો બે હજાર વર્ષથી ઘણો પુરાણો છુપાયેલો પડ્યો છે આ વાત માત્ર દંતકથા પુરતી નથી એના કેટલાક પુરાવા પણ છે. બિહારના નાલંદા જિલ્લામાં રાજગીર આવેલ છે. જેની વૈભવગીરી પહાડીની તળેટીમાં સોન ભંડાર નામક ગુફા આવેલી છે. 


VIDEO: ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ ખુલ્લેઆમ રિવાબા પ્રત્યે દેખાડ્યો પ્રેમ
જલદી કરજો, આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે ધરખમ ઘટાડો, 10 ગ્રામનો આ છે ભાવ
બદલી દેજો પેટ્રોલપંપ: અહીં મળી રહ્યું છે સસ્તું પેટ્રોલ-ડીઝલ, દેશમાં સૌથી ઓછો ભાવ


કહેવાય છે કે આ સ્થળે રાજગીરમાં ભગવાન બુદ્ધે મગધસમ્રાટ બિંબિસારને ધર્મોપદેશ આપ્યો હતો બિંબિસાર ભગવાન બુદ્ધના સમયનો મગધ સામ્રાજ્ય રાજા હતો, મગધ અર્થાત બિહાર પણ ખરેખર મગધ સામ્રાજ્યએ વખતે અડધા ઉપરાંત ભારત સુધી ફેલાયેલો હતો, બિંબિસાર બુદ્ધના ઉપદેશથી અહિંસા અને શાંતિના રસ્તે વળેલો રાજવી હતો, જે ઉદાર અને ભલો હતો, તેમના પુત્ર અજાતશત્રુએ રાજા બન્યા પછી બિંબિસારને જેલમાં નાંખ્યો હતો અને ત્યાં જ તેમનો અંત આવ્યો હતો, 


Vastu Tips: ઘરમાં આ ખાસ શંખ રાખશો તો ધનથી છલકાશે તિજોરી, શાસ્રોમાં પણ છે ઉલ્લેખ
મહિલાઓની આવી હરકતોને કરશો નહી નજર અંદાજ, અસંતુષ્ટ સ્ત્રીઓ કરે છે આ ઇશારા
300 લગ્ન કરનાર આળસુનો પીર નવાબ, જૂતા પહેરાવનાર નોકરની રાહ જોઈ બેસી રહ્યો


ગુફાની અંદર એક શિલા પર લખેલી લિપી છે. અને તેને હજી સુધી કોઇ ઉકેલી નથી શક્યું. શંખલિપી ખૂબ અટપટી ભાષામાં છે. કહેવાય છે કે તેનો ઉકેલ મેળવી લેવાય તો અવશ્ય ખજાનાનો પત્તો લાગી જાય પણ હજી સુધી એ શક્ય બન્યું નથી.  આખરે શું છે એ પહાડોની તળેટીમાં આવેલી નાનકડી ગુફામાં જેના વિશે હજુ પણ રહસ્ય ઉકેલી નથી શકાયું.  શા માટે કોઇ તાગ નથી મળતો કદાચ સંકેત મળે તો પણ તેને શોધનાર કોણ, આ ખરેખર બિંબિસારનો ખજાનો છે કે જરાસંઘનો અને છે તો કેટલો.....પચ્ચીસ સદી પૂર્વેનો આટલો ભંડાર ભારતમાં તો ક્યારેય મળ્યો નથી, માટે એ ખજાનાથી મૌર્યયુગ પૂર્વના ભારતની સામાજિક , આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિનો પણ ખ્યાલ મળી શકે , સવાલ અનેક છે પણ જવાબ એક જ છે મૌન... કારણ કે અમુક સવાલો જ એવા છે જેના વિશે આખી દુનિયા મૌન છે. અધુરામાં પુરું કુદરત પણ.....


Best Mileage વાળી બાઇક જોઇએ? આ 10 માંથી કોઇપણ ખરીદી લો, 70KM થી વધુ દોડશે
Gabbar Is Back જેવો રિયલ સીન: બાળકના મોત બાદ પૈસા ન ખૂટ્યા ત્યાં સુધી થતો રહ્યો ઈલાજ
Divorce: જીવનસાથીને લાંબા સમય સુધી સેક્સ ન કરવા દેવું એ ક્રૂરતા, મળી શકે છે છૂટાછેડા
'પતિની ગેરહાજરીમાં પુત્રવધૂને સાસરીમાં રહેવા માટે મજબૂર ન કરી શકાય', રહી શકે પિયરમાં


સોન ભંડાર ગુફામાં ભગવાન બુદ્ધના શિલ્પ પણ આવેલા છે. આ ગુફાની આજુબાજુ આજે પણ બૌદ્ધ ચિહ્નો જોઇ શકાય છે. તે વખતે ભારતમાં સૌથી વધારે બૌદ્ધ ધર્મનો પ્રચાર થતો હતો, તે વખતે રાજા રાજા વચ્ચે સ્પર્ધા વધી ગયેલી, વેર-ઝેરની ભાવનાઓ પ્રબળ બનેલી, એકબીજા પર થતા આક્રમણો બધ્યા હતા , આથી રાજાઓ કોઇના કોઇ ડરથી પોતાના ખજાના અલગ અલગ જગ્યાઓ પર છુપાવતા હતા, કહેવાય છે કે બિંબિસારે પણ પોતાનો ખજાનો સોન ભંડારગુફામાં છુપાવેલો છે. અને તેની કિંમત આંચકી શકાય તેમ નથી 


અન્ય એક માન્યતા પ્રમાણે આ ખજાનો બિંબિસારનો નહિ પરંતુ મગધસમ્રાટ અને પૃથ્વીપતિ બનવાની મહત્વકાંક્ષા સેવનાર જરાસંઘનો છે. કહેવાય છેકે આ સોનભંડાર ગુફાની અંદર બે ઓરડા છે. અંદર જતા એક ઓરડો વિશાળ આકારનો આવે છે. જેમાં બિંબિસારના સૈનિકો રહેતા હોવાની માન્યતા છે. તેઓ અહિં ચોકી અર્થે રહેતા હોવા જોઇએ કહેવાય છે કે દ્વારવિહિન અને અગમ ઓરડામાં બિંબિસારનો અઢળક અને અમૂલ્ય ખજાનો છે.


ક્યારે-કેવી રીતે ક્યાં મળશે 75 રૂપિયાનો વિશેષ સિક્કો? અહીં જાણો તમામ પ્રશ્નોના જવાબ
WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub