VIDEO: ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ ખુલ્લેઆમ રિવાબા પ્રત્યે દેખાડ્યો પ્રેમ, જોઈ લો

IPL 2023 Final: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2023ની ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાના છેલ્લા બે બોલમાં સિક્સ અને ફોરના આધારે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. ચેન્નાઈ સુપર કિંગ્સને ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લા બે બોલમાં જીતવા માટે 10 રનની જરૂર હતી, પરંતુ ક્રીઝ પર ઉભેલા રવિન્દ્ર જાડેજાએ હાર માની નહીં.
 

VIDEO: ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ ખુલ્લેઆમ રિવાબા પ્રત્યે દેખાડ્યો પ્રેમ, જોઈ લો

Ravindra Jadeja and Rivaba: મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023ની ફાઇનલમાં રવિન્દ્રના છેલ્લા બે બોલમાં છગ્ગા અને ચોગ્ગાના આધારે ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવીને પાંચમી વખત IPL 2023નો ખિતાબ જીત્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સને ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લા બે બોલમાં જીતવા માટે 10 રનની જરૂર હતી, પરંતુ ક્રીઝ પર ઉભેલા રવિન્દ્ર જાડેજાએ હાર માની નહીં. છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર લોંગ ઓફ પર સિક્સર ફટકારી હતી.

— Keshav Nagar (@keshavnagarncc) May 29, 2023

— Rahul Singh Rajput (@Rahul7573singh) May 29, 2023

સીએસકે પાંચમી વખત ટ્રોફી જીતી ત્યારે જાડેજાની પત્ની રીવાબાને ગળે લગાવી
છેલ્લા બોલ પર ચોગ્ગો મારતાની સાથે જ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સિવાય ચેન્નાઈની આખી ટીમ મેદાન પર દોડી ગઈ હતી. બાદમાં મહેન્દ્ર સિંહ ધોની પણ સેલિબ્રેશન કરવા ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની વચ્ચે પહોંચ્યો હતો. દરમિયાન, જ્યારે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ તેમને ગળે લગાવ્યા ત્યારે મેદાન પર એક લાગણીશીલ દ્રશ્ય જોવા મળ્યું હતું. રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબાની આ ભાવનાત્મક ક્ષણને કેમેરાએ કેદ કરી લીધી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સે તેના પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું.

ધોની સાથે પણ મુલાકાત કરી હતી
રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા પણ મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સના કરિશ્માઈ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળી હતી. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરતી જોવા મળી રહી છે. કેટલાક ચાહકો આ વાતચીતને જાડેજા-ધોનીની લડાઈના સમાધાન સાથે જોડીને જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરની ક્વોલિફાયર-1 મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર રવીન્દ્ર જાડેજાની એક વાત પર ગુસ્સે થઈ ગયા હતા. મેચ બાદ જાડેજાએ 'કર્મ'ને લઈને એક ટ્વિટ કર્યું હતું. આ મામલે જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેના કારણે ચર્ચાનું બજાર ગરમાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news