પટણા: ગોપાલગંજમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસને લઈને બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આરજેડી નેતા જેપી યાદવના ઘર પર થયેલા હુમલાને લઈને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પાર્ટી નેતાઓ અને કાર્યકરોની સાથે ગોપાલગંજ કૂચ કરવા માટે રાબડી નિવાસથી નીકળ્યાં. જો કે તેમના કાફલાને પોલીસે અટકાવી દીધો. આ દરમિયાન તેજસ્વી યાદવ, રાબડી દેવી અને તેજપ્રતાપ યાદવના કાફલાને રોકવામાં આવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેથી નીકળેલા રાબડી, તેજસ્વી અને તેજપ્રતાપને પોલીસે રોક્યા
તેજસ્વી યાદવે રાબડી નિવાસ્સ્થાનથી બહાર નીકળ્યા બાદ કહ્યું કે જો સરકાર અમને રોકી રહી છે તો સમજો કે સરકાર અપરાધની જનની છે. ગોપાલગંજ રેડ ઝોનમા છે. અમે જોર જબરદસ્તી ક્યાં કરીએ છીએ. અમે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ગોપાલગંજ જવા ઈચ્છીએ છીએ. પરંતુ અમને રોકવામાં આવી રહ્યાં છે અને અપરાધીને ખુલ્લી છૂટ આપી રાખી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube