નવી દિલ્હી: સરકારે SPG સુરક્ષા અંગે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. નવી ગાઈડલાઈન્સ મુજબ હવે SPG વિદેશ પ્રવાસમાં પણ સાથે રહેશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગાંધી પરિવારના ત્રણ સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જ એસપીજી કવર મળેલું છે. સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (એસપીજી)માં રહેતા દરેક વીવીઆઈપીએ આ વિશિષ્ટ સુરક્ષા કવરના સંપૂર્ણ નિયમોનું પાલન કરવાનું રહેશે. કેન્દ્ર સરકારે કહ્યું કે જેને જેને એસપીજી કવર મળ્યું છે તેણે દરેક વખતે એસપીજી ટીમ પોતાની સાથે રાખવાની રહેશે. ભલે પછી તે વિદેશ પ્રવાસ કેમ ન હોય. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...