અયોધ્યા: અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણની ઘડી હવે આવી ગઈ છે. જેને લઈને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રામભક્તોમાં ગજબનો ઉત્સાહ છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ વખતે રામ નવમીના દિવસે રામલલા ટેન્ટમાંથી નીકળીને સોનાના ગર્ભગૃહમાં વિરાજમાન થઈ જશે. સ્પષ્ટ છે કે રામલલાનો વનવાસ ખતમ થતા જ રામનગરીના પણ સુવર્ણ દિવસો આવવાના છે. જો કે ગઈ કાલ સુધી કોઈ પણ સંજોગોમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો માથે ચઢાવવાના દાવા કરનારામાંથી કેટલાક હવે તે જ ચુકાદા પર સવાલ ઉઠાવવા માંડ્યા છે. શરિયતનો હવાલો આપવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે જે 5 એકર જમીન આપવાની વાત કરી છે તેને લેવાનો ઈન્કાર થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને જીવનું જોખમ 


રામલલાને રામનવમી પર સોનાના ગર્ભગૃહમાં લઈ જવાની તૈયારી થઈ રહી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટે એક બાજુ કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવવાની તૈયારી  કરી રહી છે તો સાધુ સંતોએ રામ મંદિર માટે શુભ મુહૂર્તની પણ જાહેરાત કરી દીધી છે. અયોધ્યાના સાધુ સંતોનું કહેવું છે કે 25 માર્ચ હિન્દુ નવ વર્ષ કે પછી 2 એપ્રિલ ચૈત્ર રામનવમી રામ મંદિરના શિલાન્યાસ માટે શુભ દિવસ છે. 


અયોધ્યામાં અદભૂત, અલૌકિક અને અવિસ્મરણીય રામ મંદિર!
રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે છેલ્લા 3 દાયકાથી તમે અને અમે  રામ મંદિરના આ મોડલને જોતા આવ્યાં છીએ. હવે આ મોડલ તે જગ્યા પર મંદિરનું સ્વરૂપ ધારણ કરશે જે જગ્યા પર મર્યાદા પૂરુષોત્તમ શ્રીરામનો જન્મ થયો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube