નવી દિલ્હી: પર્યાવરણ તથા જળવાયુ પરિવર્તનની દિશામાં કામ કરનાર ગ્રેથા થનબર્ગએ કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનો પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું છે. થનબર્ગએ ટ્વીટ કર્યું 'અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. પરંતુ આ ટ્વીટની પાછળનું કારણ અને તેના પાછળ છુપાયેલો હેતુ આશ્વર્ય પમાડનાર છે. જેમાં ગ્રેટા થનબર્ગ તે વૈશ્વિક પ્રોપેગેંડાનો ભાગ બનતી જોવા મળી રહી છે, જે ખેડૂત આંદોલનના નામે ભારતને બદનામ કરવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેટા થનબર્ગનું ટ્વીટ 
ગ્રેટા થનબર્ગએ ટ્વીટમાં ભારતની સત્તાધારી પાર્ટી ભાજપને ફાસીવાદી પાર્ટી ગણાવી દીધી છે. જે આ વાત તરફ સ્પષ્ટ ઇશારો કરે છે કે તે કોઇ પ્રોપેગેંડા મુહિમનો ભાગ છે. તેમણે ટ્વીટ દ્રારા જણાવ્યું કે ભારત સરકાર પર કયા પ્રકારે દબાણ બનાવી શકાય અને તેના માટે ટ્વિટર પર જ પ્લાનિંગ પણ શેર કરવામાં આવ્યું છે. જે મોટા પ્રોપેગેંડા ચળવળ સાથે જોડાયેલી જોવા મળી રહી છે.


ગ્રેટાએ ટ્વીટમાં લખ્યું 'અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. ત્યારબાદ બીજા ટ્વીટ દ્રારા તેમની અસલી મંશા સ્પષ્ટ થઇ ગઇ. તેમૅણે એક ડોક્યુમેંટ શેર કર્યું. જેમાં ભારત સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાની કાર્યયોજના શેર કરવામાં આવી છે. આ ટ્વીટમાં પાંચ તબક્કામાં દબાણ બનાવવાની વાત કહેવામાં આવી છે.  


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube