• દેશમાં મેઘરાજાનો કહેર

  • દિલ્લીથી ગુજરાત સુધી પાણીનો કોહરામ

  • રાજધાનીના અનેક વિસ્તારો પાણીમય

  • ગુજરાતમાં અનેક શહેરોમાં જળક્રાંતિ

  • ભારે આગાહીએ ફરી લોકોને ડરાવ્યા

  • વધુ વરસાદ લાવશે મોટી આફત


ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશની રાજધાની નવી દિલ્લીથી લઈને ગુજરાત સુધી વરસાદ હવે મોટી આફત બની ગયો છે... એકબાજુ જ્યાં દિલ્લી-એનસીઆરમાં વરસાદે ઓફિસ જનારા લોકોને પરેશાન કર્યા... તો ગુજરાતમાં વરસાદ અને પૂરે હાહાકાર મચાવી દીધો છે...અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર બનતાં લોકોની જિંદગી પર બ્રેક લાગી ગઈ છે... ત્યારે કયા રાજ્યમાં કેવો માહોલ છે?...જાણો વિગતવાર આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની રાજધાનીમાં આફતનો વરસાદ
નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કરતાં લોકો પરેશાન
ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું...


દેશની રાજધાનીથી લઈને ગુજરાત સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે... ઓગસ્ટમાં અનરાધાર વરસાદના કારણે અનેક રાજ્યોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે...અને હજુપણ વરસાદ ચાલુ રહેતાં લોકો પોતાના ઘરની અંદર કેદ થઈ ગયા છે...


સૌથી પહેલાં વાત રાજધાની નવી દિલ્લીની કરીશું... નવી દિલ્લીના અનેક વિસ્તારમાં ઝમાઝમ વરસાદ થયો અને રસ્તા પર પાણીનો જમાવડો થયો... જેના કારણે હંમેશાની જેમ રસ્તા પર વાહનોની લાંબી-લાંબી લાઈન જોવા મળી... સવારે નોકરીએ જવા માટે નીકળેલા લોકો હેરાન-પરેશાન થઈ ગયા....


રાજસ્થાનના અજમેર શહેરમાં પરિસ્થિતિ વિકટ બની... અહીંયા ભારે વરસાદના કારણે ભરાયેલું પાણી હજુ પણ ઉતર્યુ નથી....રસ્તા પર પાણીનું સામ્રાજ્ય હોવાથી વાહનચાલકો અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.... 


ઉત્તર પ્રદેશમાં પણ એટલો વરસાદ નથી પડ્યો પરંતુ ઉપરવાસમાં થઈ રહેલાં વરસાદના કારણે નદીઓ બેકાંઠે વહી રહી છે... જેના કારણે ગોરખપુર હોય કે રાયબરેલી... વારાણસી હોય કે પ્રયાગરાજ... દરેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે... જેણે જનજીવન પર મોટી બ્રેક લગાવી દીધી છે.... જોકે રાહતની વાત એ છે કે 2થી 3 દિવસમાં નદીનું પાણી ઘટી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે... 


કર્ણાટકના કલબુર્ગીમાં વિકટ બની છે સ્થિતિ... અહીંયા દેવલ ગંગાપુર ગામ પાસે ભીમા નદી ગાંડીતૂર બની છે... જેના કારણ બ્રિજ ઉપરથી પાણી વહેવા લાગ્યું છે... નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાથી બ્રિજ પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે... હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે... જેના કારણે તે રાજ્યના લોકોએ જળતાંડવનો સામનો કરવા તૈયાર રહેવું પડશે....