નવી દિલ્હી: દિવાળીના દિવસે હરિયાણામાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. મનોહરલાલ ખટ્ટર બપોરે બે વાગે હરિયાણા રાજભવનમાં પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ બાજુ ભાજપને સરકાર બનાવવા માટે સમર્થન આપનારી જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના વિધાયક દળના નેતા દુષ્યંત ચૌટાલા હરિયાણાના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાએ પાવર દેખાડ્યો તો ભાજપે પણ આપ્યો મસ્ત જવાબ, જાણો શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?


શપથ ગ્રહણ અગાઉ ખટ્ટરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું કે હરિયાણાના તમામ નાગરિકોના આશીર્વાદથી દીપાવલીના શુભ અવસર પર બપોરે સવા 2 વાગે (રવિવાર) હરિયાણા રાજભવનમાં પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીશ. જનતાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેના પર આગળ પણ ખરો ઉતરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...