હાથરસઃ હાથરસ કાંડને લઈને સતત રાજકીય હલચલ જારી છે. સોમવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. સંજય સિંહે મુલાકાત બાદ કહ્યુ કે, પરિવારજનો ડરેલા છે, ગામને છાવણી બનાવી દેવામાં આવ્યું છે. સાથે તેમણે સીબીઆઈ તપાસને લઈને સવાલ ઉઠાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય સિંહ જ્યારે પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ બહાર નિકળ્યા તો તેમના પર શાહી ફેંકવામાં આવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હંગામો કર્યો હતો. તો આપ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. 


આપ નેતા સંજય સિંહે કહ્યુ કે, અહીં પર કોઈપણ વ્યક્તિને આવવા દેવામાં આવતા નથી. બધાને ડંડા મારવામાં આવી રહ્યાં છે. યોગીજી શું કહેવા ઈચ્છે છે, તે પોતાને ચોકીદાર કહે છે. આપ નેતાએ આરોપ લગાવ્યો કે, ઉત્તર પ્રદેશની સરકાર દોષિતોને બચાવવામાં લાગેલી છે. 


J&K: પંપોરમાં CRPFની ટુકડી પર આતંકી હુમલો, 2 જવાન શહીદ

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે, ભાજપ તોફાનોની વાત કરી રહી છે, આ તો ભાજપની જન્મસિદ્ધ માગ છે. તોફાનો ફેલાવવા અને જાતિવાદ ફેલાવવાનું કામ ભાજપ કરી રહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube