નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર (Corona Second Wave) થી સંપૂર્ણપણે છુટકારો મળી શક્યો નથી ત્યાં સુધી ત્રીજી લહેર (Corona Third Wave) નો ખતરો મંડરાવવા લાગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આગામી દિવસોને લઇને આગાહ કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દુનિયા કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધી રહી છે. આગામી 100 થી 125 દિવસ એકદમ મહત્વપૂર્ણ છે આ દરમિયાન લોકોને સાવધાન રહેવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીમ મોદી પણ વ્યક્ત કરી ચિંતા
તો બીજી તરફ આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પણ મહારાષ્ટ્ર, કેરલ સહિત 6 રાજ્યોમાં કોરોનાના વધતા જતાં કેસને લઇને ચિંતા વ્યક્ત કરી છે. Covid 19 સમીક્ષા બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે 'આપણે બધા એવા બિંદુ પર છીએ જ્યાં ત્રીજી લહેરની આશંકા સતત વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશેષજ્ઞો દ્રારા ઘટાડાના વલણને કારણે સકારાત્મક સંકેત આપવા છતાં કેટલાક રાજ્યોમાં કેસની વધતી સંખ્યા પણ હજુ પણ ચિંતાજનક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છે કે ગત અઠવાડિયા દરમિયાન બેઠકમાં ઉપસ્થિત રાજ્યોમાંથી 80 ટકા કેસ  સાથે સાથે 84 ટકા દુર્ભાગ્યપૂર્ણ મોત થયા.  

Tea બનાવતી વખતે મોટાભાગે લોકો કરે છે આ ભૂલ? ચામાં દૂધ, ચા પત્તી અને ખાંડ નાખવાનો આ છે સાચો સમય


દુનિયાના આંકડા વધી ચિંતા
પ્રધાનમંત્રી યૂરોપ, અમેરિકા, બાંગ્લાદેશ, ઇંડોનેશિયા, થાઇલેંડ અને ઘણા અન્ય દેશોમાં કેસની સંખ્યામાં વધારો પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે 'આ આપણને અને દુનિયાને સર્તક કરવી જોઇએ. ' પ્રધાનમંત્રીએ બેઠક દરમિયાન પુનરાવર્તિત કર્યું કે કોરોના ખતમ થયો નથી અને લોકડાઉન બાદ આગામી કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘનના તસવીરો પર ઉંડી ચિંતા વ્યક્ત કરે. તેમણે પ્રોટોકોલનું પાલન કરવા અને ભીડથી બચવાની જરૂરિયાત પર ભર મુક્યો કારણ કે બેઠકમાં ઘણા રાજ્યોમાં ગીચ વસ્તીવાળા મહાનગર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube