નવી દિલ્હી: કોરોનાથી દેશમાં સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ આજે દેશમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 38,902 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 543 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 10,77,618 પર પહોંચ્યો છે. જેમાંથી 3,73,379 એક્ટિવ કેસ છે અને 6,77,423 લોકો અત્યાર સુધી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 26,816 લોકોના જીવ ગયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube