શ્રીનગર: જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) ના ડોડા જિલ્લો ફરી એકવાર આતંક મુક્ત થઇ ગયો છે. ડોડાના રહેવાસીઓ હિજબુલ કમાંડર મસૂદ (Masood) સોમવારે સવારે અનંતનાગ (Anantnag) જિલ્લામાં થયેલી મુઠભેડમાં ઠાર માર્યા હતા. તે ડોડા જિલ્લામાં જીવિત બચેલો છેલ્લો આતંકવાદી હતો. તેના સફાયા સાથે જ ડોડા જિલ્લામાં આતંકવાદી ખતમ થઇ ગયા છે. મસૂદની પાસેથી હથિયાર મળી આવ્યા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે જમ્મૂ કાશ્મીરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અનંતનાગમાં મુઠભેડમાં 3 આતંકવાદી ઠાર માર્યા છે. ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓની ઓળખ હજુ થઇ શકી નથી. જમ્મૂ કાશ્મીર પોલીસ અને સુરક્ષાબળોએ સંયુક્ત ઓપરેશન ગત રાત્રે શરૂ કર્યું હતું. સૂત્રોના અનુસાર ઠાર મારેલા આતંકવાદીઓ પાસેથી એક AK-47 મળી આવી હતી. 2 પિસ્તોલ પણ મળી આવી હતી. સુરક્ષાબળોનું આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન ચાલુ છે. જૂનના રોજ 13 મુઠભેડમાં 41 આતંકવાદી ઠાર માર્યા છે. 


આ ઘાટીમાં આ ત્રણ આતંકવાદીના મોત સાથે અત્યાર સુધી આતંકવાદીઓની સત્તાવાર સંખ્યા 116 થઇ ગઇ છે, જેમાં અત્યાર સુધી તમામ વિભિન્ન આતંકવાદી સંગઠનોના 7 ઓપરેશન કમાંડર સામેલ છે. ફક્ત જૂન 13મી મુઠભેડ છે જેમાં સુરક્ષાબળોએ ઘાટીમાં 40થી વધુ આતંકવાદીને ઠાર માર્યા છે. 


હિજબુલ મુજાહિદ્દીન સુરક્ષાબળોનું મુખ્ય નિશાના પર છે. તમામ આતંકવાદી સંગઠનોમાં તેના સૌથી વધુ આતંકવાદી માર્યા ગયા છે. તેમાં ટોચના કમાંડરોમાં ઓપરેશનલ કમાંડર રિયાઝ નાયકૂ પણ સામેલ છે. તાજેતરમાં પોલીસે દાવો કર્યો હતો હતો કે ત્રાલનો વિસ્તાર હવે હિજ્બ મુક્ત થઇ ગયો છે જે 1989થી હિજ્બુલ મુજાહિદ્દીનનું કેન્દ્ર બની ગયો હતો.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube