RBI Monetary Policy Meeting Update: જો તમે હોમ લોન લીધી છે અથવા બેંક એફડી કરવાનો પ્લાન કરી રહ્યા છો આજે તેના પર મોટો નિર્ણય થવાનો છે. જી હાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) ની ત્રણ દિવસીય મોનેટરી પોલિસીની મીટિંગનો આજે અંતિમ દિવસ છે. આ મીટિંગમાં લેવામાં આવેલા નિર્ણયો પર તમારા લોનની ઇએમઆઇ ઘટશે કે પછી એફડી પર મળનાર વ્યાજ વધશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેને લઇને જાહેરાત કરવામાં આવશે. આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસ તરફથી શુક્રવારે દ્રિમાસિક નાણાકીય નીતિ જાહેર કરવામાં આવશે. ફુગાવાની ચિંતા વચ્ચે રેપો રેટ તેના જૂના સ્તરે જ રહેવાની શક્યતા છે. આરબીઆઇએ ફેબ્રુઆરી 2023 થી રેપો રેટમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી અને આ 6.5 ટકા પર યથાવત છે. 


Stock To Buy: આજે આ 20 સ્ટોક્સમાં જોવા મળશે એક્શન, રોકાણકારોને મળશે નફો કમાવવાની તક


આરબીઆઇ ગર્વનર 10 વાગે આપશે ફેંસલાની જાણકારી
બીજી તરફ યૂરોપીય સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ કેનેડાના પ્રમુખ પોલિસી દરમાં ઘટાડો શરૂ થઈ ગયો છે.આરબીઆઇ (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ચર્ચા બાદ સવારે 10 વાગ્યે દાસ નિર્ણય વિશે માહિતી આપશે.એમપીસીની ત્રણ દિવસ સુધી ચાલનારી મીટિંગ બુધવારે (5જૂને) શરૂ થઇ હતી. જાણકારોએ કહ્યું કે ઇકોનોમિક ગ્રોથમાં તેજી આવી રહી છે.

એવામાં એમપીસીના રેપો રેટમાં કાપની આશા ઓછી છે. એસબીઆઇ રિસર્ચના રિપોર્ટ અનુસાર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો મે મહિનામાં 5 ટકા રહેવાનો અંદાજ છે (માહિતી મહિનાના બીજા સપ્તાહમાં ઉપલબ્ધ થશે). એપ્રિલમાં રિટેલ ફુગાવાનો દર 4.83 ટકા હતો.


નવી સરકારમાં મલ્ટીબેગર બની શકે છે 2 STOCKS, એક્સપર્ટે કહ્યું-1 વર્ષ માટે ખરીદી લો


ઓક્ટોબરમાં રેપો રેટમાં ઘટાડાની આશા
જૂન પછી આગામી MPC બેઠક સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. આગામી બેઠકમાં પણ રેપો રેટમાં ઘટાડો થવાની આશા ઓછી છે. હાલમાં મોંઘવારી દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રેન્જથી આગળ વધી રહ્યો છે. સરકારે રિઝર્વ બેંકને મોંઘવારી દરને 2 થી 4 ટકાની વચ્ચે લાવવાનો ટાર્ગેટ આપ્યો છે. નિષ્ણાતોને આશા છે કે નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે.


વર્ષમાં 6 વખત યોજાય છે મીટિંગ
કેન્દ્રીય બેંક દ્વારા દર વર્ષે 6 વખત મોનેટરી પોલિસી બેઠકો યોજવામાં આવે છે. નાણાકીય વર્ષ 2024-25 માટે આ બીજી MPC બેઠક છે. આ બેઠકમાં રિઝર્વ બેંક દ્વારા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને રેપો રેટની સમીક્ષા કરવામાં આવે છે. આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા RBI માંગ, પુરવઠો, ફુગાવો અને ક્રેડિટ જેવા ઘણા પરિબળોને ધ્યાનમાં રાખે છે.


દોડવા માટે તૈયાર છે Tata Group નો આ દિગ્ગજ શેર, 5 વર્ષમાં આપ્યું 150%થી વધુ વળતર


તમારા પર શું અસર થાય છે?
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો અથવા વધારો બેંકો દ્વારા આપવામાં આવતી લોનના વ્યાજ દરને અસર કરે છે. રેપો રેટમાં વધારા બાદ બેંકો દ્વારા હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી કરવામાં આવી છે. સરળ શબ્દોમાં કહીએ તો, અમે બેંકના વ્યાજ દરમાં વધારો કરીએ છીએ. પરંતુ જો RBI રેપો રેટમાં ઘટાડો કરે છે તો લોનના વ્યાજ દરમાં ઘટાડો થાય છે.


Stocks To BUY: 5 એવા શેર જેમાં રૂપિયા રોક્યા તો થઇ જશો માલામાલ, 45% સુધી મળશે રિટર્ન


રેપો રેટ શું છે?
RBI દ્વારા બેંકોને જે દરે લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી મોંઘા દરે લોન મળશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરે પર વ્યાજ દરો વધશે, જેની સીધી અસર તમારી EMI પર પડશે.


Stocks to BUY: 15 દિવસમાં રોકેટની માફક ઉડવા લાગશે આ 5 શેર, તમે ખરીદ્યા કે નહી?