નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એમ્સમાં દાખલ થયા છે. છાતીમાં ઈન્ફેક્શન હોવાના કારણે તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરાયા. રાહતની વાત એ છે કે તેમની સ્થિતિ હાલ સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી. ગૃહમંત્રીએ હાલમાં જ કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારીને માત આપી હતી. ડોક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડોક્ટર્સની ટીમ તેમના સ્વાસ્થ્યનો પળેપળ ખ્યાલ રાખી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Covid-19: બાપરે...ચીનનું આટલું મોટું જૂઠ્ઠાણું? ઘાતક કોરોના પર 8 વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ


જણાવવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહને ગત રાતે 2 વાગે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં. તેમને જૂના પ્રાઈવેટ વોર્ડમાં રાખવામાં આવ્યાં છે. એમ્સ ડાઈરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં એક ટીમ તેમની દેખભાળ કરી રહી છે. તેમને હળવો તાવ હતો. ત્યારબાદ તેમને એમ્સમાં એડમિટ કરવામાં આવ્યાં. ગૃહમંત્રીને શું સમસ્યા થઈ રહી છે અને તેમને કોરોનાના કારણે કોઈ તકલીફ થઈ છે કે નહીં તે વાત હજુ સ્પષ્ટ થઈ નથી. 


Corona Virus વિશે અત્યાર સુધી ખબર જ નહતી આ વાત, ખુલાસા બાદ હવે સારવારમાં મળશે મોટી મદદ 


નોંધનીય છે કે બે ઓગસ્ટના રોજ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવ છે. તેમણે પોતે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણે  કહ્યું હતું કે તેમને કોઈ સ્વાસ્થ્ય અંગેની સમસ્યા નથી પરંતુ તપાસ રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે તેઓ થોડા દિવસ હોસ્પિટલમાં રહેશે. ત્યારબાદ તેઓ મેદાન્તા હોસ્પિટલમાં દાખલ થયા હતાં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube