નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હવે ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ડોક્ટરોની સલાહ બાદ તેઓ મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે રવિવારે સાંજે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે. તેમની તબીયત સારી છે પરંતુ ડોક્ટરોના કહેવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. શાહે કહ્યુ કે, શરૂઆતી લક્ષણ દેખાયા બાદ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે જે પણ છેલ્લા થોડા દિવસથી સંપર્કમાં આવ્યા હોવ, તે ખુદને આઇસોલેટ કરીને પોતાની તપાસ કરાવે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube