નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જારી છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કોરોના વાયરસના ચેપની મદદથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને કેન્દ્ર સરકાર આર્થિક મદદ કરશે. તેમાં દર્દીઓની દેખરેખ કરનાર લોકો પણ સામેલ છે. કેન્દ્ર સરકાર કોરોના વાયરસને કારણે અવસાન પામેલા લોકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની મદદ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસને આપદા જાહેર કરવાનો નિર્ણય લીધો છે જેથી તમામ રાજ્ય સરકારો આ વાયરસ સામે લડવા માટે રાજ્ય આપદા પ્રતિક્રિયા કોષ (State Disaster Response Fund, SDRF)નો ઉપયોગ કરી શકે. 
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...