નવી દિલ્હીઃ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ તરીકે દેશની જનતાને છેલ્લીવાર સંબોધિત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ છોડવાની પૂર્વ સંધ્યા પર કહ્યું કે 5 વર્ષ પહેલાં હું તમારા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માધ્યમથી રાષ્ટ્રપતિના રૂપમાં ચૂંટાયો હતો. રાષ્ટ્રપતિના રૂપમાં મારો કાર્યકાળ આજે સમાપ્ત થઈ રહ્યો છે. હું તમારા બધા અને તમારા જનપ્રતિનિધિઓ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનતા હોય છે રાષ્ટ્રની નિર્માતા
રામનાથ કોવિંદે સમગ્ર દેશવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, મને કિસાન અને મજૂરો પાસેથી પ્રેરણા મળી. દેશના વિશ્વાસનો આભાર વ્યક્ત કરૂ છું. રાષ્ટ્રપતિ કાર્યાકાળ દરમિયાન તમામ વર્ગોનો સહયોગ મળ્યો. તેમણે કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આપણે નાયકોને યાદ કરી રહ્યાં છીએ. જનતા રાષ્ટ્રની નિર્માતા હોય છે. આઝાદીમાં અસંખ્ય લોકોનું યોગદાન રહ્યું છે. ગાંધીજીએ દેશને નવી દિશા આપી. દેશમાં નવી આશાનો સંચાર થયો છે. 


લોકતાંત્રિક વ્યવસ્થાને સલામ
રાષ્ટ્રપતિએ કહ્યું કે કાનપુરના પરૌંખ ગામમાં એક ખુબ સાધારણ પરિવારમાં ભણેલ-ગણેલ હોવા છતાં તે એક રાષ્ટ્રપતિ તરીકે દેશને સંબોધિત કરી રહ્યાં છે. તે માટે હું દેશની જીવંત લોકતાંત્રિક વ્યવસ્થાને સલામ કરૂ છું. 


અર્પિતા મુખર્તીને એક દિવસની ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવી, તપાસ એજન્સીએ કોર્ટમાં કરી આ માંગ


આ પહેલા રામનાથ કોવિંદે સંસદના સેન્ટ્રલ હોલમાં સાંસદો દ્વારા તેમના માટે આયોજીત કરવામાં આવેલા વિદાય સમારોહમાં પોતાના સંબોધનમાં સંસદને લોકતંત્રનું મંદિર ગણાવ્યું હતું. જ્યાં સાંસદો તે લોકોની ઈચ્છાઓને વ્યક્ત કરે છે, તેણે તેમને ચૂંટીને મોકલ્યા છે. 


સાંસદોને કર્યું આહ્વાન
વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજકીય દળોને રાષ્ટ્ર સર્વપ્રથમની ભાવનાની સાથે પાર્ટી રાજનીતિથી ઉપર ઉઠી લોકોના કલ્યાણ માટે જરૂરી વિષયો પર ગંભીરતાપૂર્વક વિચાર કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે નાગરિકોને વિરોધ વ્યક્ત કરવા અને પોતાની માંગોને આગળ વધારવા માટે ગાંધીવાદી રીત અપનાવવાની અપીલ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube