ભોપાલઃ આ દિવસોમાં દેશમાં લવ-જેહાદનો મુદ્દો ચર્ચામાં છે. જ્યાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશે તેના પર કાયદો બનાવી દીધો છે. તો મધ્યપ્રદેશમાં પણ લવ જેહાદ પર કાયદો બનાવવાની વાત સામે આવી રહી છે. ઉમરિયામાં જન-જાતીય ગૌરવ સન્માન સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લવ જેહાદના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું, 'હું કોઈપણ કિંમત પર મધ્ય પ્રદેશની ધરતી પર લવ જેહાદની મંજૂરી આપીશ નહીં.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, હું કોઈ કસર છોડીશ નહીં પરંતુ તમારી પાસેથી ઈચ્છુ છું કે આવા તત્વો સમાજને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ભલે તે ધર્માંતરણના નામ પર, કે બીજા નામ પર હોય, કેટલાક લોકો સંગઠન બનાવીને તેની આડમાં પોતાના સ્વાર્થોને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવા લોકોને ઉઘાડા પાડો. તો જન-જાતીય ગૌરવ સન્માન સમારોહમાં તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ છેલ્લીવાર થી રહ્યો નથી, દર વર્ષે 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ  જનજાતિ ગૌરવ દિવસના દિવસના નામથી ધૂમધામથી ઉજવવામાં આવે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube