Morena Jet Crash: ભારતીય વાયુસેના (IAF) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે રાજસ્થાનના ભરતપુરમાં તેમનું કોઈ હેલિકોપ્ટર ક્રેશ થયું નથી. તેમના તમામ હેલિકોપ્ટર સુરક્ષિત છે. શક્ય છે કે મધ્યપ્રદેશના મુરેનામાં પ્લેન ક્રેશ થયા બાદ આ એરક્રાફ્ટનો કાટમાળ ભરતપુરમાં પડ્યો હોય. જો કે, આ અંગે કોઈ કંન્ફોર્મ ન્યૂઝ નથી. એરફોર્સે ભરતપુરમાં પ્લેન ક્રેશ થયાની વાતને નકારી કાઢી છે. મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના બે વિમાન ક્રેશ થયા છે. આ ઘટનામાં એક પાયલટ શહીદ થયો છે. વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. પીએમઓને અકસ્માતની જાણકારી આપવામાં આવી છે. બંને વિમાનોએ એમપીના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. બાકીના બંને પાયલોટ સુરક્ષિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


ભરતપુરમાં થયો નથી અકસ્માત
જણાવી દઈએ કે મોરેના દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. એવી આશંકા છે કે મોરેનામાં થયેલા વિમાન દુર્ઘટનાનો કાટમાળ રાજસ્થાનના ભરતપુર પાસે પડ્યો છે. ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ પિંગોરા રેલવે સ્ટેશન પાસે પડ્યો હતો.


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


મોરેનામાં 2 ફાઈટર જેટ થયા ક્રેશ
તમને જણાવી દઇએ કે આ ઘટના મોરેનાના પહાડગઢ વિસ્તારમાં બની હતી. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. મોરેનાના પહાડગઢ વિસ્તારમાં ફાઈટર જેટનો કાટમાળ દૂર દૂર સુધી ફેલાઈ ગયો હતો. બંને લડાકુ વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. ગ્વાલિયરથી મોરેનાનું અંતર માત્ર 40 કિલોમીટર છે. એટલે કે, ટેકઓફ થયાના થોડી જ વારમાં બંને પ્લેન અકસ્માતનો ભોગ બન્યા છે.


એરફોર્સે અકસ્માતનું કર્યું ખંડન
જો કે આ પહેલા રાજસ્થાનના ભરતપુરથી સમાચાર આવ્યા હતા કે એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર બન્યું છે. તેનો કાટમાળ પિંગોરા રેલવે સ્ટેશન પાસે પડ્યો છે. જોકે, ભારતીય વાયુસેનાએ હવે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે તેમનું એકપણ વિમાન ભરતપુરમાં ક્રેશ થયું નથી.


આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube