નવી દિલ્હી : હાલના સમયમાં બોર્ડ પરિક્ષાઓનાં પરિણામો આવવાનું ચાલુ થઇ ચુક્યા છે. પરિક્ષામાં આશા અનુસાર માર્ક નહી મળી શકવાનાં કારણે આવા ઘાતક પગલા ઉઠાવે છે. એવામાં દુખદ ઘટના ગત્ત દિવસોમાં છત્તીસગઢમાં સામે આવી. છત્તીસગઢનાં રાયગઢમાં એક 18 વર્ષીય વિદ્યાર્થીએ બોર્ડ પરિક્ષામાં ફેલ થવા અંગે આત્મહત્યા કરી લીધી. મીડિયા રિપોર્ટ અનુસાર સુસાઇડ કરનાર વિદ્યાર્થી ગત્ત વર્ષે પણ બોર્ડની પરિક્ષામાં નાપાસ થઇ ચુક્યો હતો. જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વર્ષમાં રામ મંદિર નથી બનાવી શક્યાને વિદ્યાસાગરની મુર્તિ બનાવવાની વાતો કરે છે: મમતા બેનર્જી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમાચારથી વ્યથીત થઇને 2009 બેચના આઇએએસ અધિકારી અવનીશ કુમાર શરણે ફેસબુક પર પોતાની માર્કશીટ શેર કરી હતી. તેમણે કહ્યું કે, માર્કશીટ તમે પ્રાપ્ત કરેલા માર્કનો એક આંકડો માત્ર છે. તે કોઇ તમારા જીવનનું સર્ટીફિકેટ નથી. જેથી ઓછા માર્ક આવે અથવા નિષ્ફળ જતા સમયે વિદ્યાર્થીઓ આ પ્રકારે નિરાશ થઇને અયોગ્ય પગલું ન ભરવું જોઇએ. 


TMC હિંસામાં સામેલ હોય તો PM મોદી પુરાવા આપે, નહીં તો જેલ ભેગા કરીશ: મમતા
દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢેલી મુસ્લિમ મહિલા પહોંચી SC, આવતીકાલે સુનાવણી
ઓછા માર્ક આવે તો પરેશાન ન થવું જોઇએ
આઇએએસ અધિકારીએ ફેસબુક પર હાઇસ્કુલ, ઇટરમીડિએટ અને ગ્રેજ્યુએશનમાં મેળવેલા પોતાના માર્કને શેર કરતા વિદ્યાર્થીઓને કહ્યું કે, ઓછા માર્ક આવવા અથવા નાપાસ થવાથી પરેશાન ન થવું જોઇએ અને પોતાની આશા જીવંત રાખવી. અવનીશ કુમાર હાલ કબીરધામ જિલ્લાનાં ડીએમ છે. આ અગાઉ અવનીશ પોતાની પુત્રીને પ્રાઇમરી સ્કુલમાં દાખલ કરવા અને મિડ ડે મિલ (મધ્યાહન ભોજન) ખવડાવવા મુદ્દે ચર્ચામાં આવ્યા હતા.


કોઇ 8-10 સીટ, 20-22 અને કોઇ 35 સીટવાળા PMના સપના જોઇ રહ્યાં છે: PM મોદી

પરીક્ષાના પરિણામને ગંભીરતાથી નહી લેવા અપીલ
તેમણે ફેસબુક પર લખ્યું કે, તમામ વિદ્યાર્થીઓ અને તેના માતા-પિતાને અપીલ કરુ છું કે પરિક્ષાના પરિક્ષામોને ગંભીરતાથી ન લે. આ માત્ર એક નંબર ગેમ છે. બાળકને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે જીવનમાં અનેક તક મળશે. તેમણએ ઉદાહરણ આપતા પોતાનાં 10,12 અને કોલેજની માર્કશીટ પણ શેર કરી હતી. 


પૂર્વ PM મનમોહન સિંહને રાજ્યસભામાથી જવું પડી શકે છે બહાર, જાણો શું છે કારણ...

જિલ્લાધીકારીના અનુસાર 10માં ધોરણમાં 44.5 ટકા, 12માં ધોરણમાં 65 ટકા અને સ્નાતક થયા ત્યારે 60.7 ટકા અંક પ્રાપ્ત કર્યા હતા. તેમણે પોતાનાં સંદેશમાં એવું પણ જણાવ્યું કે તેમણે 10માં ધોરણની પરિક્ષા 1996માં 12મા ધોરણની પરિક્ષા 1998માં અને સ્નાતકની ડિગ્રી 2002માં પ્રાપ્ત કરી હતી.