નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી આપના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવાને જ રાજધાનીની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન ગણાવતા સોમવારે કહ્યું કે, જો એવું થયું તો દિલ્હીમાં સિંગાપુર જેવા દસ શહેર બનાવી દેશે. કેજરીવાલે સોમવારે પૂર્વી દિલ્હી લોકસક્ષા ક્ષેત્રમાં પટપડગંજમાં ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું કે, દિલ્હી પુર્ણ રાજ્ય બન્યું તો દિલ્હીમાં દરેક ઝુંપડાવાળાને નવો બંગ્લો બનાવીને આપશે અને દિલ્હીમાં દસ નવા સિંગાપુર બનાવી દેશે. 
કોંગ્રેસે વધારે 26 મુરતિયા કર્યા જાહેર, નિરુપમને ટિકિટ તો મળી પણ અધ્યક્ષનું પદ છીનવાયું

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનસભામાં પટપડાગંજ વિધાનસભાના ધારાસભ્ય અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ દિલ્હી સીટથી આપ ઉમેદવાર આતિશી પણ હાજર હતા. સિસોદિયાએ કહ્યું કે, અમે મોટા સપના દેખાડવા પડશે, ત્યારે જ દિલ્હીને પોતાનો હક મળશે. કેજરીવાલે પુર્ણ રાજ્યની માંગ માટે સમર્થન માગતા કહ્યું કે, જો દિલ્હી પુર્ણ રાજ્ય બનશે તો સ્થાનીક કોલેજમાં દિલ્હીનાં વિદ્યાર્થીઓને 85 ટકા અનામત અને સરકારી નોકરીઓમાં પણ 85 ટકા અનામત અપાવશે. 


રાહુલની યોજના પર જેટલીનાં સવાલ: ખોટા વચનો આપી મત ઉઘરાવી લેવાનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે

આ અગાઉ આપે કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મુદ્દે મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હી મેટ્રોનાં ભાડામાં વધારા બાદ મેટ્રોના યાત્રીઓની સંખ્યામાં પ્રતિ દિવસ ત્રણ લાખ સુધીનો ઘટાડો આવવા અંગે મીડિયા રિપોર્ટનો હવાલો ટાંકતા કહ્યું કે, સમગ્ર જનતા સમક્ષ તેનું કારણ સ્પષ્ટ કરવું જોઇએ.