નવી દિલ્હી: LPG સિલિન્ડરમાં નિર્ધારિત ગેસ કરતા ઓછો હોવાની ફરિયાદ મળતી હોય છે. જો કે આ મામલે ફરિયાદ કરવા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી LPG એજન્સી સંચાલક કે પછી ડિલિવરીમેન (Delivery Man) પર થતી નથી. જો કે હવે ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે ગ્રાહક ફોરમ (Consumer Forum) માં ગેસ સિલિન્ડરનો ગેસ સમય પહેલા ખતમ થાય તો ફરિયાદ કરી શકશો. કેન્દ્ર સરકારે ગ્રાહક સંરક્ષણ એક્ટ 2019માં સ્પષ્ટપણે કહ્યું છે કે જો કોઈ પણ ગેસ વિતરક ગ્રાહકોના અધિકારની લૂંટ ચલાવે તો તેના પર કડક કાર્યવાહી કરવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે મળ્યા રાહતભર્યા સમાચાર....ખાસ જાણો 


એક મહિનામાં લેવાશે નિર્ણય
નવા કાયદા મુજબ હવે જો LPG સિલિન્ડર સમય પહેલા સમાપ્ત થવાની ફરિયાદ ગેસ એજન્સીને કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થાય તો તમે સીધા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી શકો છો. એક મહિનાની અંદર તમારી તમારી ફરિયાદને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરાશે. 


ટેક્સ સિસ્ટમમાં સુધાર, કરદાતાઓને મળ્યા આ 3 મોટા અધિકાર, જાણો તેના વિશે


રદ થઈ શકે છે એજન્સીની લાઈસન્સ
ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019 લાગુ થયા બાદ હવે જો ગ્રાહકોને ઓછો એલપીજી મળશે, તો એલપીજી વિતરક પર કાર્યવાહી તો થશે જ પણ સાથે સાથે તેનું લાઈસન્સ પણ રદ થઈ શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube