India Alliance Mumbai Meeting: વિરોધ પક્ષ એલાયન્સ ઈન્ડિયા (I.N.D.I.A.) એ એક સંકલન સમિતિની રચના કરી છે. વિવિધ પક્ષોના 13 નેતાઓને સંકલન સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. સંકલન સમિતિમાં શરદ પવાર, સ્ટાલિન, અભિષેક બેનર્જી, હેમંત સોરેન અને રાઘવ ચઢ્ઢા સહિત 13 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે ગઠબંધન સંયોજકનું નામ હજુ નક્કી થયું નથી. આ સમિતિમાં કેસી વેણુગોપાલ, સંજય રાઉત, તેજસ્વી યાદવ, જાવેદ ખાન, લલ્લન સિંહ, ડી રાજા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીના નામ પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bank Holidays: September માં 16 દિવસ બંધ રહેશે બેંકો, પતાવી દેજો જરૂર કામ
સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ લાગૂ, Income Tax ના ફેરફારથી વધી ટેકહોમ સેલરી


તમને જણાવી દઈએ કે મુંબઈમાં વિપક્ષી એલાયન્સ ઈન્ડિયા (I.N.D.I.A.)ની ચાલી રહેલી બે દિવસીય બેઠકનો આજે છેલ્લો દિવસ છે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે I.N.D.I.A. તમામ સંચાર અને મીડિયા વ્યૂહરચના અને ઝુંબેશની થીમ વિવિધ ભાષાઓમાં હશે. તેની થીમ 'જુડેગા ભારત જીતેગા ઈન્ડિયા' હશે.


PM Modiની સફળતાનું તેમની રાશિમાં છુપાયેલું છે રહસ્ય : એમ જ નથી મળી આટલી લોકપ્રિયતા
UK Visa: શું એ સાચું છે કે જો ખાતામાં 10 લાખ રૂપિયા હોય તો જ વ્યક્તિ લંડન જઈ શકે?


I.N.D.I.A શું છે? વ્યૂહરચના?
આ સિવાય ટૂંક સમયમાં દેશના વિવિધ ભાગોમાં સંયુક્ત જાહેર રેલીઓનું આયોજન કરવામાં આવશે. જાહેર પ્રશ્નોને લઈને રેલીઓ યોજવામાં આવશે. વિવિધ રાજ્યોમાં સીટ વહેંચણીની પ્રક્રિયા તરત જ શરૂ કરવામાં આવશે અને તે ગીવ એન્ડ ટેકની ભાવના સાથે પૂર્ણ કરવામાં આવશે. I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી લોકસભાની ચૂંટણી તમામ પક્ષો સાથે મળીને લડશે.


Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂ.ની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ
1st September: આજથી દેશભરમાં બદલાઇ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર


NDAને સત્તા પરથી હટાવવા માટે મંથન
એક તરફ મુંબઈમાં 28 વિરોધ પક્ષોના નેતાઓ એનડીએ અને વડાપ્રધાન મોદીને સત્તા પરથી હટાવવા માટે મંથન કરી રહ્યા છે. બીજી તરફ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય પીચ પર બેક ટુ બેક દાંવ રમી રહ્યા છે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્રની જાહેરાત સાથે સરકારે વિપક્ષોને વિચારવા મજબૂર કરી દીધા કે સરકાર શું કરવા માંગે છે? શું આખા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાવા જઈ રહી છે કારણ કે સરકારે એક દેશ એક ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે.


વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, હવે ખેડૂતો જમીનમાં નહી હવામાં કરશે બટાકાની ખેતી
Maa Laxmi ke Upay: ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ


વન નેશન, વન ઇલેક્શન પર સમિતિની રચના
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા વન નેશન, વન ઈલેક્શન પર એક કમિટીની રચના કરવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સમિતિના અધ્યક્ષ હશે. જો સૂત્રોનું માનીએ તો, ભૂતપૂર્વ CJI અને ભૂતપૂર્વ CEC સમિતિના સભ્ય બની શકે છે. સમિતિના અધ્યક્ષની જાહેરાતના થોડા સમય બાદ જ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમની સાથે સમિતિના સભ્યોના નામ પર ચર્ચા કરી.


Part Time Jobs : આ 10 પાર્ટ ટાઈમ જોબ્સ છે સૌથી ઉત્તમ! કમાણીનું પણ નહીં રહે ટેન્શન
Lizards: ગરોળી ભગાડવાના 6 રામબાણ ઉપાય, ટ્રાય કર્યા બાદ પાડોશીને પણ આપશો ટિપ્સ
Chanakya Niti:આફતને અવસર બદલવા આ 3 લોકોનો સપોર્ટ જરૂરી, કોઇ વાળ પણ વાંકો નહી કરી શકે


સરકાર ચૂંટણી સંબંધિત બિલ લાવી શકે છે
સૂત્રોનું માનીએ તો સરકાર વિશેષ સત્રમાં એક દેશ એક ચૂંટણી પર બિલ લાવી શકે છે કારણ કે એક દેશ એક ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. ઓપન ફોરમમાં તેઓ આનો ઉલ્લેખ અગાઉ પણ ઘણી વખત કરી ચૂક્યા છે. કોઈપણ રીતે, વન નેશન, વન ઈલેક્શનનો ઉલ્લેખ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ છે. પરંતુ સરકારની સમિતિની રચના સાથે જ વિપક્ષ તરફથી આકરા પ્રહારો શરૂ થઈ ગયા છે.


પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ફળોની છાલ, ઉતારીને ખાશો તો નહી થાય કોઇ ફાયદો
Asia Cup 2023: પાકિસ્તાન સામેની મેચમાં થશે મોટા ફેરફાર, આ નવા નંબર પર બેટીંગ કરી શકે છે વિરાટ કોહલી
Maa Laxmi ke Upay: ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube