નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 92,071 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 48,46,428 થયો છે. જેમાંથી 9,86,598 એક્ટિવ કેસ છે. જો કે 37,80,108 લોકોએ આ જીવલેણ વાયરસને માત આપવામાં સફળતા મેળવી છે. એક જ દિવસમાં કોરોનાથી 1136 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોવિડ-19થી થયેલા કુલ મૃત્યુનો આંકડો 79,722 થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી સંસદનું ચોમાસુ સત્ર, PM મોદીએ કહ્યું-'સમગ્ર દેશ વીર જવાનોની સાથે'


કંગના વિવાદ: શિવસેના નેતા સંજય રાઉતે મુકેશ અંબાણી અને અક્ષયકુમારને ધમકી આપી?


સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે, કોરોનાની રસી જાહેર કરવાની કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી. જો તમને સરકાર, વૈજ્ઞાનિકો અથવા વેક્સીન સાથે જોડાયેલી આખી પ્રક્રિયા પર ક્યાંય પણ ભરોસો નથી તો, હું તમને વિશ્વાસ અપાવું છું કે, હું સૌથી પહેલા રસી મુકાવવા તૈયાર છું.  સાથે તેમણે કહ્યું કે, સંભાવના છે કે વર્ષ 2021ના પહેલા ત્રણ મહિના સુધી આપણને અલગ-અલગ રસીની ટ્રાયલના પરિણામો આવશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube