નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન પર ધૂંધવાયેલા પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે એક આતંકવાદી દેશ પાસેથી આ જ આશા રાખી શકાય છે. કડક પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે આતંકવાદમાં સંડોવાયેલા એક દેશનું આ વલણ આશ્ચર્યજનક નથી. પાડોશી દેશને સંભળાવતા ભારતે કહ્યું કે તેણે અમારા મામલે હસ્તક્ષેપ કરતા અને સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતા બચવું જોઈએ. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને અયોધ્યામાં બાબરી મસ્જિદ સ્થળ પર બુધવારે થયેલા રામ મંદિર ભૂમિ પૂજનની ટીકા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- 'સંકલ્પ થયો પૂરો, વર્ષોની આશા હતી રામ મંદિર'


'પાકિસ્તાનમાં નથી મળતા લઘુમતીઓને તેમના અધિકાર'
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પાકિસ્તાને ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે 'અમે ભારતના આંતરિક મામલા પર મીડિયામાં પાકિસ્તાનના નિવેદનને જોયું. પાકિસ્તાને ભારતના મામલાઓથી દૂર રહેવું જોઈએ. ભારતે કહ્યું કે જે દેશ પોતે પોતાના દેશમાં અલ્પસંખ્યકોને તેમના અધિકારોથી વંચિત રાખતો હોય તે આવી કોમેન્ટ કરે તે ચોંકાવી દે છે. આ પ્રકારની ટિપ્પણીઓ ખુબ અફસોસજનક છે.'


રામ મંદિર આંદોલનથી લઇને શ્રી રામના આદર્શો સુધી, વાંચો PM મોદીના સંબોધનની 10 મોટી વાતો


ભૂમિ પૂજન બાદ પાકિસ્તાનને લાગ્યા મરચા
અત્રે જણાવવાનું કે અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન પર પાકિસ્તાનને ખુબ મરચા લાગ્યા છે. પાકિસ્તાનના લવારા કરતા રેલવે મંત્રી શેખ રશીદે કહ્યું કે ભારત હવે ધર્મનિરપેક્ષ દેશ નથી પરંતુ રામ નગરમાં ફેરવાઈ ગયો છે. રાશિદે કહ્યું કે જૂના સમયના ધર્મનિરપેક્ષ દેશ હવે દુનિયાભરમાં ખતમ થઈ ગયા છે અને ભારત હવે 'શ્રીરામના હિન્દુત્વ'નો દેશ બની ગયો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube