નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.41 લાખથી વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલે 1,17,100 નવા કેસ નોંધાયા હતા. જેને જોતા 21 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. 28 ડિસેમ્બરે કોરોનાના 6,358 કેસ નોંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના નવા 1.41 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,41,986 કેસ નોંધાયા છે. એક દિવસમાં 40,895 દર્દીઓ રિકવર પણ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 3,44,12,740 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 4,72,169 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી 285 દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,83,178 પર પહોંચ્યો છે. હાલ દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 9.28% થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 150.06 કરોડ ડોઝ અપાયા છે. 


રિકવરી રેટ 97.30 ટકા
કોરોનાથી એક દિવસમાં 40,895 દર્દીઓ રિકવર પણ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 3,44,12,740 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.30 થયો છે. જે સ્પીડથી કોરોનાના નવા કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube