નવી દિલ્હી: ભારતમાં મંગળવારે કોરોના વાયરસના કેસમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં પોઝિટિવિટી રેટ ઘટીને 14.43% થયો છે. એક દિવસમાં કોરોનાના 2.38 લાખ કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં કોવિડથી 310 દર્દીઓના મોત થયા છે. 


નવા કેસમાં 7 ટકાનો ઘટાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,38,018 કેસ નોંધાયા છે જે ગઈ કાલ કરતા 20,071 કેસ ઓછા છે. હાલ દેશમાં 17,36,628 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાથી 310 દર્દીઓના એક દિવસમાં મૃત્યુ થયા છે. દેશમાં હાલ પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો થયો છે. જે ઘટીને 14.43% થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube