Coronavirus in India: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર દિન પ્રતિ દિન ભયાનક બની રહી છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.95 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 2023 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.95 લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોના (Corona Virus) દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,56,16,130 પર પહોંચ્યો છે. જેમાંથી 1,32,76,039 લોકો અત્યાર સુધીમાં રિકવર થયા છે. જ્યારે 21,57,538 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં રેકોર્ડબ્રેક મૃત્યુઆંકડો નોંધાયો છે. 2023 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,67,457 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 13,01,19,310 લોકોને રસી આપવામાં આવી છે. 


Remdesivir પર મોદી સરકારે લીધો મોટો મોટો નિર્ણય, ભાવ ઓછા થઈ શકે છે, અછત પણ થશે દૂર!


Coronavirus: ભારતમાં B.1.617 ના કારણે કોરોનાની સ્થિતિ ગંભીર!, દુનિયા પણ હલી ગઈ, જાણો કેમ છે જોખમી?


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube